વાપીના ડાયરામાં ગીતા રબારી અને તેજદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ, જુઓ તસવીરો

વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ સલવાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. તો હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતાં.

કોરોના કાળ દરમ્યાન ગરીબ લોકોને મફતમાં ભોજન મળી રહે તે માટેમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Free Food કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે.

આ સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે, શહીદોના પરિવારને મદદરૂપ થતા રહે તે માટે દાતાઓ તરફથી દાન પેટે રકમ મળે તેવા ઉદેશથીમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેલ્યુટ તિરંગાના સંયુક્ત ઉપક્રમે વાપી નજીક આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. તો, હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ અદાણી પર, અમેરિકા-ભારતના સમયપાલન શિસ્ત પર કટાક્ષ કરતા તો, નરેન્દ્ર મોદી પર, બુલેટ ટ્રેન, ભગવદ ગીતા પરનો મર્મ સમજાવતા જોક્સ કરી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મહંતોની હાજરીમાં દાતાઓ, સમાજના શ્રેષ્ઠીઓએ બન્ને કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી ખુલ્લા દિલે દાન આપ્યું હતું.

લોકડાયરાના કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીનીમાં જનમ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેને જાહેરાત કરવામાં આવી હતી. તો, ટ્રસ્ટને દાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરી સાળંગપુર હનુમાનજીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

લોકડાયરામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીને સાંભળવા આવ્યા હતાં. જેઓને આ કલાકારોએ પોતાના કંઠે અનેક સુરીલા ભજન ગાઈ મોજ કરાવી હતી.

કલાકારોના ગીતો પર દાતાઓ-શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવી ટ્રસ્ટના Free Food કેમ્પેઇન ને જબરો પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે ગીતાબેન રબારીએ ગુજરાતમાં લોકડાયરાનું વધતું મહત્વ અને સમાજના ગરીબ બાળકોના શિક્ષણ માટે, ભોજન માટે, શહીદોના પરિવારો માટે દાનની રકમ એકઠી કરવા થતા આ પ્રકારના આયોજનોની સરાહના કરી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.