પ્રજાસત્તાક દિને: યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ

On

સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાથી બચવવા માટે છેલ્લા 10 વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ ડ્રગ્સના દૂષણ સામે લોક જાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત શહેરની અનેક વ્યક્તિઓ અને પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા યુથ નેશનના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનુ દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જે લોકો ડ્રગની ચુંગલમાં ફંસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. આ માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રેલી, કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ સાંજે 5 વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુથી પ્રાઈમ શોપર્સથી વાય જંકશન સુધી આ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો.

જેમાં દસ જેટલા સ્ટેજ બનાવમાં આવ્યા હતા અને તેના પર શહેરના નામી કલાકારો દ્વારા ડાન્સ, લાઈવ બેન્ડ, યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુત થકી સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ, જોકર, કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજન માટેના પાત્રો હતા. આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati