એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ એ એક એવા પ્રકારનો રોગ છે જે શેના કારણે થાય છે અને તેના પરફેક્ટ ઉપચારનું હજુ વિજ્ઞાન સંશોધન કરી શકયું નથી. પણ તબીબની સલાહ અને જેમને રોગ થયો હોય તેવા લોકોના સપોર્ટથી તેને મેનેજ કરી શકાય છે. આ રોગ સારો થશે જ એવી કોઇ ખાત્રી આપી શકાતી નથી.એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે અંતરધ્વની ગ્રુપ દ્રારા સુરતમાં 2 ફેબ્રુઆરીથી સપોર્ટ ગ્રુપ શરૂ થવાનું છે. 

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ અંગે માહિતી આપતાં રૂમેટોલોજીસ્ટ ડો,બંકીમ દેસાઇએ કહ્યું હતું કે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ શેના કારણે થાય છે અને તેનું પરફેકટ નિદાન શકય બન્યું નથી. પરતું આમા પીઠના નીચીને ભાગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત કમર એ રીતે જકડાઇ જાય છે કે દર્દી સવારે પથારીમાંથી જલ્દી ઉઠી શકતો નથી. લોહીમાં ખરાબીને કારણે, પર્યાવરણ કે ખોરાકના પ્રોબ્લેમને કારણે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ થઇ શકે છે. ખાસ કરીને 20થી 40 વર્ષના યુવાનોમાં અને ખાસ કરીને પુરુષોમા આ રોગ વધારે જોવા મળે છે.

આવા દર્દીઓને ડો. બંકીમ દેસાઇ, ડો. અલ્પના પરમાર, ડો.નિશિલ શાહ અને ડો. રોમી શાહ જેવા 4 રૂમેટોલોજીસ્ટ સલાહ સુચન કરશે અને ડો. શીતલ તથા અનીશ દિવાનજી કાઉન્સેલીંગ કરશે. સપોર્ટમાં દર્દીઓ પોતે જોડાશે અને એકબીજાને માર્ગદર્શન કરશે.સપોર્ટ ગ્રુપ કાઉન્સેલીંગ અને નિદાન મફતમાં કરશે અને જરૂરિયાત મંદોને દવા પણ મફતમાં અપાવવાની કોશિશ કરશે.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.