- Gujarat
- એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ
એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ એ એક એવા પ્રકારનો રોગ છે જે શેના કારણે થાય છે અને તેના પરફેક્ટ ઉપચારનું હજુ વિજ્ઞાન સંશોધન કરી શકયું નથી. પણ તબીબની સલાહ અને જેમને રોગ થયો હોય તેવા લોકોના સપોર્ટથી તેને મેનેજ કરી શકાય છે. આ રોગ સારો થશે જ એવી કોઇ ખાત્રી આપી શકાતી નથી.એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે અંતરધ્વની ગ્રુપ દ્રારા સુરતમાં 2 ફેબ્રુઆરીથી સપોર્ટ ગ્રુપ શરૂ થવાનું છે.
એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ અંગે માહિતી આપતાં રૂમેટોલોજીસ્ટ ડો,બંકીમ દેસાઇએ કહ્યું હતું કે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ શેના કારણે થાય છે અને તેનું પરફેકટ નિદાન શકય બન્યું નથી. પરતું આમા પીઠના નીચીને ભાગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત કમર એ રીતે જકડાઇ જાય છે કે દર્દી સવારે પથારીમાંથી જલ્દી ઉઠી શકતો નથી. લોહીમાં ખરાબીને કારણે, પર્યાવરણ કે ખોરાકના પ્રોબ્લેમને કારણે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ થઇ શકે છે. ખાસ કરીને 20થી 40 વર્ષના યુવાનોમાં અને ખાસ કરીને પુરુષોમા આ રોગ વધારે જોવા મળે છે.
આવા દર્દીઓને ડો. બંકીમ દેસાઇ, ડો. અલ્પના પરમાર, ડો.નિશિલ શાહ અને ડો. રોમી શાહ જેવા 4 રૂમેટોલોજીસ્ટ સલાહ સુચન કરશે અને ડો. શીતલ તથા અનીશ દિવાનજી કાઉન્સેલીંગ કરશે. સપોર્ટમાં દર્દીઓ પોતે જોડાશે અને એકબીજાને માર્ગદર્શન કરશે.સપોર્ટ ગ્રુપ કાઉન્સેલીંગ અને નિદાન મફતમાં કરશે અને જરૂરિયાત મંદોને દવા પણ મફતમાં અપાવવાની કોશિશ કરશે.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
