એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ એ એક એવા પ્રકારનો રોગ છે જે શેના કારણે થાય છે અને તેના પરફેક્ટ ઉપચારનું હજુ વિજ્ઞાન સંશોધન કરી શકયું નથી. પણ તબીબની સલાહ અને જેમને રોગ થયો હોય તેવા લોકોના સપોર્ટથી તેને મેનેજ કરી શકાય છે. આ રોગ સારો થશે જ એવી કોઇ ખાત્રી આપી શકાતી નથી.એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે અંતરધ્વની ગ્રુપ દ્રારા સુરતમાં 2 ફેબ્રુઆરીથી સપોર્ટ ગ્રુપ શરૂ થવાનું છે. 

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ અંગે માહિતી આપતાં રૂમેટોલોજીસ્ટ ડો,બંકીમ દેસાઇએ કહ્યું હતું કે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ શેના કારણે થાય છે અને તેનું પરફેકટ નિદાન શકય બન્યું નથી. પરતું આમા પીઠના નીચીને ભાગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત કમર એ રીતે જકડાઇ જાય છે કે દર્દી સવારે પથારીમાંથી જલ્દી ઉઠી શકતો નથી. લોહીમાં ખરાબીને કારણે, પર્યાવરણ કે ખોરાકના પ્રોબ્લેમને કારણે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ થઇ શકે છે. ખાસ કરીને 20થી 40 વર્ષના યુવાનોમાં અને ખાસ કરીને પુરુષોમા આ રોગ વધારે જોવા મળે છે.

આવા દર્દીઓને ડો. બંકીમ દેસાઇ, ડો. અલ્પના પરમાર, ડો.નિશિલ શાહ અને ડો. રોમી શાહ જેવા 4 રૂમેટોલોજીસ્ટ સલાહ સુચન કરશે અને ડો. શીતલ તથા અનીશ દિવાનજી કાઉન્સેલીંગ કરશે. સપોર્ટમાં દર્દીઓ પોતે જોડાશે અને એકબીજાને માર્ગદર્શન કરશે.સપોર્ટ ગ્રુપ કાઉન્સેલીંગ અને નિદાન મફતમાં કરશે અને જરૂરિયાત મંદોને દવા પણ મફતમાં અપાવવાની કોશિશ કરશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.