સુરત: નોકરી માટે આવેલી પરિણીતા પર બિલ્ડરનો રેપ, પછી કહ્યું- કોઈને કહેશે તો...

સુરતના ઉમરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 38 વર્ષીય પરિણીતા રિસ્પેશનિસ્ટની નોકરી માટે બિલ્ડરની ઓફિસ ગઈ હતી, જ્યાં ત્રણ સંતાનના પિતા એવા બિલ્ડરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે બિલ્ડર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ 5 વર્ષ પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ મહિલા પોતાની માતા સાથે રહેતી હતી. મહિલાને નોકરીની જરૂરિયાત હોવાથી તેણે મિત્ર મારફતે પાર્લે પોઇનટ સ્થિત એક રિયલ એસ્ટેટ એજન્સીમાં રિસ્પેશનિસ્ટની નોકરી હોવાની જાણ થઈ હતી. આથી મહિલા નોકરી માટે રિયલ એસ્ટેટ એજન્સીની ઓફિસ ગઈ હતી.

આ દરમિયાન એજન્સીના માલિકે મહિલા સાથે આડી અવળી વાતો કર્યા બાદ હાથ પકડી લીધો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ બાદ મહિલાને 'જો કોઈને કહીશ તો તારું જીવન બગાડી નાંખીશ અને તને કોઈ નોકરીએ નહીં રાખે' તેવી ધમકી પણ આપી હતી. આ મામલે મહિલાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.