સુરતના હીરા વેપારીની દીકરીએ માત્ર 9 વર્ષની ઉંમરે લઇ લીધો સન્યાસ, ક્યારેય ટીવી...

સુરતના હીરા વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી તેમજ ધનેશભાઈ અને અમી બેનની 9 વર્ષની દીકરી દેવાંશીએ સંન્યાસ લઈ લીધો છે. દેવાંશીનો દીક્ષા મહોત્સવ વેસુમાં 14 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને આજે એટલે કે 18 જાન્યુઆરીને બુધવારે તેના દીક્ષા ગ્રહણ સાથે પૂર્ણ થયો હતો. આજે સવારે 6 વાગ્યે તેની દીક્ષા શરૂ થઈ હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. દેવાંશીએ 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દેવાંશીના પરિવારના જ સ્વ. તારાચંદનું પણ ધર્મના ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેદશિખરનો ભવ્ય સંઘ કાઢ્યો હતો અને આબૂના પહાડોની નીચે સંઘવી ભેરુતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું.

સુરતમાં જ દેવાંશીની વર્ષીદાન યાત્રા યોજવામાં આવી હતી. તેમા 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. આ પહેલા મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની વર્ષીદાન યાત્રા યોજવામાં આવી હતી. દેવાંશી 5 ભાષાઓની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભરતનાટ્યમમાં એક્સપર્ટ છે. દેવાંશીને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા મહાગ્રંથ કંઠસ્થ છે.

એટલું જ નહીં, દેવાંશીએ 8 વર્ષની ઉંમર સુધીમાં 357 દીક્ષા દર્શન, 500 કિમી પગપાળા વિહાર, તીર્થોની યાત્રા તેમજ ઘણા જૈન ગ્રંથોનું વાંચન કરી તત્વ જ્ઞાનને સમજ્યું છે. દેવાંશીના માતા-પિતા અમી બેન અને ધનેશભાઈ સંઘવીએ જણાવ્યું કે, તેમની દીકરીએ ક્યારેય ટીવી નથી જોયુ, જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો તેણે ક્યારેય ઉપયોગ નથી કર્યો. તેમજ ક્યારેય લેટર્સ પ્રિન્ટ કર્યા હોય તેવા કપડાં પણ નથી પહેર્યા. દેવાંશીએ માત્ર ધાર્મિક શિક્ષણમાં જ નહીં પરંતુ, ક્વિઝમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. તેમજ ભરતનાટ્યમ જેવા ક્લાસિકલ ડાન્સ અને યોગમાં પણ તે નિપૂણ છે.

દેવાંશીની માતા અમીબેને જણાવ્યું હતું કે, દેવાંશી જ્યારે 25 દિવસની હતી ત્યારથી જ નવકારસીનો પચ્ચખાણ લેવાનું શરૂ કર્યું. 4 મહિનાની હતી ત્યારથી રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો હતો. 8 મહિનાની હતી ત્યારથી ત્રિકાલ પૂજનની શરૂઆત કરી. 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કર્યો. 2 વર્ષ 1 મહિનાથી ગુરુઓ પાસે ધાર્મિક શિક્ષણ લેવાની શરૂઆત કરી અને 4 વર્ષ 3 મહિનાની ઉંમરથી જ ગુરુઓ સાથે રહેવાનું શરૂ કરી દીધુ હતું.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.