સુરત: 23 વર્ષની ઉંમરે મિત્રની હત્યા કરી ફરાર આરોપી 28 વર્ષ પછી 52ની ઉંમરે પકડાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં 1995માં થયેલી એક હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી 23 વર્ષની ઉંમરે પોતાના સાથી મિત્રની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. 28 વર્ષ પછી પોલીસને હાથ લાગ્યો છે. આરોપીની ઉંમર અત્યારે 52 વર્ષની છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ તેની પર દોઢ વર્ષથી વોચ રાખી રહી હતી અને આખરે તેને પકડી પાડવામાં આવ્યો છે. જો કે આ હત્યામાં બે આરોપી હતા, જેમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે,જયારે બીજો આરોપી હજુ ફરાર છે જેને પોલીસ શોધી રહી છે.


ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ લલિત વાગડિયા જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર દ્વારા 20 વર્ષથી વધુ વણઉકેલાયેલા ગુનાઓને પોલીસ ચોપડે ઉકેલી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી છે. એ અંતર્ગત ટીમ પણ બનાવવામાં આવી છે, જે માત્ર આ જ ગુનાઓ પર કામ કરી રહી છે.  આવા જ એક કેસની તપાસ હાથમાં આવી હતી. 1995માં હત્યા કરીને બે આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસે તેમના ગામ અને અનેક જગ્યાએ શોધ્યા હતા, પરંતુ તેમની ભાળ મળી નહોતી. આરોપીઓ કૃષ્ણ પ્રધાન અને બિરેન શેટ્ટીએ તેમની સાથે કામ કરતા શિવરામ નાયકની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કૃષ્ણ પ્રધાનને કેરળથી પકડી પાડ્યો છે અને બિરેન શેટ્ટીની શોધખોળ ચાલું છે.

1995માં હત્યા કરીને ફરાર થઇ ગયેલો કૃષ્ણ પ્રધાન 28 વર્ષ પછી પોલીસના હાથમાં કેવી રીતે આવ્યો? એ સવાલ તમારા મનમાં હશે. કૃષ્ણ પ્રદાન ઓડીસાના ગંજામ વિસ્તારનો વતની હતો. પોલીસે ગંજામ જઇને તપાસ કરી હતી, પરંતુ આરોપી મળ્યો નહોતો, પોલીસને જાણકારી મળી કે તે બ્રહ્મપુર ચાલ્યો ગયો છે. પોલીસ બ્રહ્મપુર પહોંચી હતી તો ત્યાં પણ આરોપી મળ્યો નહોતો. જો કે અહીં પોલીસનો ફેરો ખાલી ગયો નહોતો. કૃષ્ણ પ્રધાનના લગ્નના એવા પુરાવા મળ્યા કે જેનાથી પોલીસને ખબર પડી કે આરોપી કેરળમાં છુપાયેલો છે. છેલ્લાં દોઢ વર્ષથી પોલીસ કેરળમાં કૃષ્ણ પ્રધાન પર વોચ રાખી રહી હતી, કારણ કે તે ઓળખ છુપાવીને મિસ્ત્રી તરીકે કામ કરતો હતો. 23 વર્ષની ઉંમરે હત્યા કરીને કેરળમાં છુપાયેલો આરોપી અત્યારે 52 વર્ષનો આધેઢ થઇ ચૂક્યો છે.

પોલીસની પુછપરછમાં આરોપી કૃષ્ણ પ્રધાને કબુલાત કરતા કહ્યું હતું કે શિવરામ નાયક હમેંશા જુઠુ બોલતો અને ગદ્દારી કરતો હતો એ વાતથી ગુસ્સામાં આવીને બિરેન શેટ્ટી સાથે મળીને શિવરામની હત્યા કરી નાંખી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.