ઉમિયા માતાજીના ભવ્યરથનું સુરતમાં ભટાર રવિદર્શન સોસાયટીમાં સ્વાગત

PC: Khabarchhe.com

અમદાવાદથી મા ઉમિયા માતાજીનું ભવ્યરથ સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ રવિ દર્શન સોસાયટીમાં પહોંચ્યો હતો. સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આ ભવ્ય રથના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષો ઉલ્લાસથી ગરબા રમીનેમાં ઉમિયાના ભવ્યરથને આવકાર્યો હતો. આ ભવ્યરથ 19મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી વરાછા ખાતે પહોંચ્યો હતો. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં જ્યાં પાટીદાર સમાજના લોકો વસતા છે ત્યાં જઈને આ ભવ્ય રથને ફેરવવામાં આવ્યો હતો.

ત્યારે ત્રીજી માર્ચ 2023ના રોજ ભટાર વિસ્તારમાં આવેલ રવિ દર્શન સોસાયટીમા મા ઉમિયા માતાજીનો રથ પહોંચ્યો હતો. સાથે આવનારી 10મી માર્ચના રોજમા ઉમિયા માતાજીનું ભવ્ય રથ સુર થી વાપી વલસાડ થઈને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp