સુરતના MLA મનુ ફોગવા અને એક મહિલા પેસેન્જર વચ્ચે વંદેભારત ટ્રેનમાં થઇ બબાલ

મંગળવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં એક મહિલા પેસેન્જર અને સુરત ઉધનાના MLA મનું ફોગવા વચ્ચે ભારે રકઝક થઇ હતી જેને લઇને ટીટી અને સિક્યુરિટી સ્ટાફ પણ ભેગો થઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સમાધાન થઇ ગયું હતું.

ટ્રેનમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરત ઉધનાના MLA મનુ ભાઇ ફોગવા ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં મંગળવારે આવી રહ્યા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ તેઓ ટ્રેનમાં તેમના કેટલાક સમર્થકો સાથે હતા. ટ્રેન વડોદરા પહોંચવાની હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. મનુભાઇ બોગી નંબર C-2માં સૌથી છેલ્લી રોમાં બેઠા હતા. ત્યારે તેઓ મોબાઇલ પર કંઇક સાંભળી રહ્યા હતા. આજુબાજુ વાળા લોકોને તેમના મોબાઇલમાંથી આવતો અવાજ વધુ લાગી રહ્યો હતો.

ત્યારે એક મહિલા જે મુંબઇ જઇ રહી હતી તેણે વાંધો લીધો હતો. પહેલીવાર મનુભાઇએ અવાજ ઓછો કરી દીધો હતો. જોકે, થોડીવાર પછી ફરી મોબાઇલનો અવાજ થોડો વધુ થઇ ગયો હતો. ત્યારે મહિલાએ ફરી વાંધો ઉઠાવ્યો હતો. મહિલાએ કહ્યું કે તમે બ્લુટૂથ કેમ નથી વાપરતા. તો મનુભાઇએ કહ્યું કે મારી પાસે બ્લુટૂથ નથી. હું આ રીતે જ સાંભળીશ. એવું ક્યાં લખ્યું છે કે અહીં મોબાઇલના જોવાય. તમે પોલીસને બોલાવો, સિક્યુરિટીને બોલાવો. કાયદો બતાવો કે એવું ક્યાં કહ્યું છે. તે દરમિયાન રેલ્વેનો સ્ટાફ અને સિક્યુરિટી ત્યાં પહોંચી ગયો હતો. બન્ને વચ્ચે સમજાવટ કરી હતી.

જોકે, મહિલા પોતે જ થોડીવારમાં શાંત થઇ ગઇ હતી. પછી મનુભાઇ પણ સમજી ગયા હતા અને તેમણે મોબાઇલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. લોકોને પહેલા તો ખબર ન હતી કે તે એમએલએ છે. મનુભાઇએ પણ પોતાની ઓળખ આપી ન હતી. પરંતુ તેમની સાથે રહેલા સમર્થકોએ કહ્યું હતું કે આ સાહેબ કોણ છે તે તમને ખબર નથી. આ ઉધનાના એમએલએ છે. પરંતુ ત્યારપછી આખી બોગીમાં ભારે ચર્ચા રહી હતી. કેટલાક લોકોએ આ ઘટનાનું મોબાઇલ પર શૂટિંગ પણ કરી લીધું હતું.

આ ઘટના અંગે  જાણવા અમે જ્યારે મનુભાઇને ફોન કર્યો તો તેમણે કહ્યું કે આવું કંઇ થયું નથી. 

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.