ત્રીજી વન-ડેમાં રોહિતે ટોસ જીત્યો, પંડ્યા-ઉમરાન મલિકની જગ્યાએ આ 2 ખેલાડી

ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ બે-બે ફેરફાર કર્યા છે. વન-ડે સીરિઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવનારી ભારતીય ટીમ શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરશે. જો આમ થશે તો ભારતીય ટીમ ચોથી વખત શ્રીલંકાને ક્લીન સ્વીપ કરશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમમાં બે ફેરફાર કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપ્યો છે અને તેના સ્થાને વોશિંગટન સુંદર અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ધનંજય ડી સિલ્વાની જગ્યાએ અશીન બંદરા અને દુનિથ વેલ્લાલાગેની જગ્યાએ જેફરી વનડરસેને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ આ મેચ જીતીને ICC સુપર લીગના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 દ્વિપક્ષીય વન-ડે સીરિઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સીરિઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કર્યું અને સીરિઝની તમામ મેચ જીતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 164 મેચ રમાઈ છે. ભારતે 95 અને શ્રીલંકાએ 57 મેચ જીતી હતી. એક મેચ ટાઈ થઈ હતી અને 11 અનિર્ણિત રહી હતી. ટીમ ઈન્ડિયા એક ટીમ સામે સૌથી વધુ વન-ડે જીતમાં ઓસ્ટ્રેલિયાની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ 95 વન-ડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતમાં બંને વચ્ચે 53 મેચ રમાઈ હતી. ભારતે 38 અને શ્રીલંકાએ 12માં જીત મેળવી હતી. 3 મેચ અનિર્ણિત રહી હતી.

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 2019માં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરતા 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 105 રનનો આ ટાર્ગેટ માત્ર એક વિકેટ પર હાંસલ કરી લીધો હતો. જો પીચ ફરીથી પેસરોને શરૂઆતમાં મદદ કરે છે, તો ટોસ જીતનારી ટીમ પીછો કરવાનું પસંદ કરશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.