નિર્ણાયક T20: ન્યૂઝીલેન્ડ સામે ભારત ટોસ જીત્યું, પંડ્યાએ ટીમમાં કર્યો 1 ફેરફાર

આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક મેચ રમાવાની છે. અમદાવાદમાં રમાનારી મેચમાં જે ટીમ મેચ જીતશે, તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે. ત્રીજી T20મા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ બીજી મેચમાં જે ફેરફાર કર્યો હતો તેને ઉલટાવી નાખ્યો છે. યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ફરી ઉમરાન મલિકની એન્ટ્રી થઇ ગઈ છે.

ત્રીજી T20 માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન)

સૂર્યકુમાર યાદવ (વાઇસકેપ્ટન)

ઇશાન કિશન (વિકેટકીપર)

શુભમન ગિલ

દીપક હુડ્ડા

રાહુલ ત્રિપાઠી

વૉશિંગટન સુંદર

કુલદીપ યાદવ

અર્શદીપ સિંહ

ઉમરાન મલિક

શિવમ માવી

ઇશાન કિશનના સતત ખરાબ પ્રદર્શનથી ગંભીર થયા નારાજ, આપી આ સલાહ

હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝ રમી રહી છે. ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇશાન કિશનના હાલના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે કેમ કે બધાએ વિચાર્યું હતું કે બાંગ્લાદેશ વિરુદ્ધ તેની બેવડી સદી બાદ તેનો ગ્રાફ વધશે. ગૌતમ ગંભીરની આ ટિપ્પણી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લખનૌમાં રમાયેલી બીજી T20 મેચ બાદ આવી છે. આ મેચમાં ઇશાન કિશને 32 બૉલનો સામનો કર્યો અને માત્ર 19 રન બનાવ્યા. ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં એક બૉલ બાકી રહેતા 6 વિકેટે જીત હાંસલ કરતા સીરિઝમાં 1-1થી બરાબરી કરી.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, યુવા બેટ્સમેનોએ હંમેશાં મોટા સિક્સ લગાવવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સ્ટ્રાઇક રોટેટ કરવાનું શીખવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ યુવા ખેલાડીઓએ જલદી શીખવાની જરૂરિયાત છે કે સ્ટ્રાઇક કેવી રીતે રોટેટ કરે કેમ કે આ પ્રકારની વિકેટ પર મેદાન પર ઉતરીને મોટા સિક્સ લગવાનું સરળ નહીં હોય. તેમણે કહ્યું કે, તેઓ ઇશાન કિશનના પ્રદર્શનથી હેરાન છે કેમ કે બધાએ વિચાર્યું હતું કે તે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ વિરુદ્ધ બેવડી સદી બાદ આગળ વધશે.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, બેવડી સદી લગાવ્યા બાદ બાંગ્લાદેશમાં તેણે જે પ્રકારની બેટિંગ કરી, તેને જોતા આ હેરાની ભરેલું છે. તે ત્યારબાદ સંઘર્ષ કરી રહ્યો છે, બધાને લાગ્યું કે તે જે પ્રકારની તેણે ઇનિંગ રમી છે, તેનાથી તેનો ગ્રાફ વધશે. ભારતીય બેટિંગ એકાઇ સ્પિન વિરુદ્ધ ઝઝૂમી રહી છે અને તે ત્યારે સ્પષ્ટ થઇ ગયું હતું કે, જ્યારે ઇશાન કિશન લખનૌમાં માઇકલ બ્રેસવેલનો સામનો કરી રહ્યો હતો. બેટિંગ એકાઇના રૂપમાં ભારતીય એકાઇ સ્પિન વિરુદ્ધ સંઘર્ષ કરી રહી છે. સ્પિનરો માટે પણ પૂરતી મદદ હતી. તે ઘણી હદ સુધી સ્પષ્ટ હતું, જ્યારે ઇશાન કિશન વિરુદ્ધ માઇકલ બ્રેસવેલે ઇશાન કિશનને આઉટ કર્યો.

 

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કેપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિની પણ નિંદા કરી છે. લખનૌમાં બીજી T20 મેચમાં 100 રન જેવા નાનકડા ટારગેટને હાંસલ કરવા માટે પણ ઝઝૂમવું પડ્યું અને છેક એક બૉલ બાકી રહેતા 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા અને બોલર્સનો સારી રીતે ઉપયોગ ન કરવાની વાત કહી છે. ગૌતમ ગંભીર આ વાતથી નિરાશ નજરે પડ્યા કે યુઝવેન્દ્ર ચહલ પાસે માત્ર 2 ઓવર કરાવવામાં આવી, જ્યારે તે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. બીજી તરફ ઓલરાઉન્ડર દીપક હુડા પાસે તેના કોટાની બધી ઓવર પૂરી કરાવી દીધી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.