સચિનને કેપ્ટનશીપ ઓફર થયેલી પણ ધોનીને કેપ્ટન બનાવવા તેંદુલકરે BCCIને કરેલી ભલામણ

ક્રિક્રેટ જગતના મહાન ખેલાડી અને જેમને લોકો માસ્ટર-બ્લાસ્ટર તરીકે ઓળખે છે એવા સચિન તેંદુલકરે ધોનીને કેપ્ટન બનાવવા માટે પોતે ભલામણ કરી હતી એ વાતનો એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેને 2007-2017 દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે રમતના તમામ ફોર્મેટમાં ICC ટ્રોફી જીતી છે.

ધોનીએ 2007માં ભારતને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં મદદ કરી હતી અને તેની કારકિર્દીમાં બે વખત ICC ટેસ્ટ જીતી હતી. 2011માં ધોનીએ ભારતને ODI વર્લ્ડ કપ અપાવ્યો હતો. સચિન તેંદુલકરે કેપ્ટનશિપ માટે ધોનીના નામની ભલામણ કરી હતી, ત્યારબાદ બોર્ડે રાહુલ દ્રવિડના સ્થાને ધોનીનો સંપર્ક કર્યો હતો.

સચિન તેંદુલકરે એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો કે, શા માટે તેણે BCCIને યુવાન એમ.એસ. ધોનીને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવા વિનંતી કરી. જ્યારે ધોનીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે વિકેટકીપર-બેટ્સમેનની ઉંમર 26 વર્ષ હતી. તેંદુલકરે કહ્યું, જ્યારે અમે ઇંગ્લેંડમાં હતા ત્યારે મને કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી હતી. તે વખતે મેં કહ્યું હતું કે આપણી પાસે ટીમમાં એક ઘણો સારો લીડર છે, જે હજુ જૂનિયર છે અને તે એવો વ્યક્તિ છે જેને તમારે બારીકાઇથી જોવો જોઇએ.

સચિને કહ્યું કે, મેં તેની સાથે ઘણી વાતચીત કરી છે, ખાસ કરીને  મેદાન પર જ્યાં હું ફર્સ્ટ સ્લીપમાં ફિલ્ડીંગ કરતો હતો. સ્લિપમાં ફિલ્ડીંગ કરતી વખતે મેં ધોનીને પુછ્યું હતું કે તને શું લાગે છે? મેં ધોનીને આ વિશે પૂછ્યું જ્યારે કેપ્ટન રાહુલ દ્રવિડ હતો. પરંતુ મેં તેને પૂછ્યું અને મને જે જવાબ મળ્યો તે ખૂબ જ સંતુલિત, શાંત અને ખૂબ જ પરિપક્વ હતો.

માસ્ટર બ્લાસ્ટરે વધુમાં કહ્યું, સારી કેપ્ટનશીપ એ વિપક્ષથી એક ડગલું આગળ રહેવાની વાત છે. જો કોઈ વ્યક્તિ આમ કરવા માટે પૂરતી હોશિયાર હોય, જેમ આપણે કહીએ છીએ, જોશ સે નહીં, હોશ સે ખેલો. તે તરત થતું નથી, તમને 10 બોલમાં 10 વિકેટ નહીં મળે. તમારે તેના માટે આયોજન કરવું પડશે. દિવસના અંતે, સ્કોરબોર્ડની ગણતરી થાય છે અને મેં તેનામાં તે ગુણો જોયા, તેથી મેં તેના નામની ભલામણ કરી હતી.

સચિન તેંદુલકર એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે ધોનીની કેપ્ટનશિપમાં 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સચિન તેંદુલકરે 2013માં રમતમાંથી નિવૃત્તિ લીધી હતી, જેમાં ધોનીએ મુંબઈમાં તેંદુલકરની છેલ્લી ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.