ન્યૂઝીલેન્ડ સામે ભારત ટોસ જીત્યું, ટીમમાં 2 ફેરફાર, 20 વર્ષ બાદ જીતવાની તક

 

ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિતે ટીમમાં બે ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા અને શાર્દૂલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શામી અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમે પણ કહ્યું હતું કે, અમે ટોસ જીત્યા હોત તો અમે પણ બોલિંગ લીધી હોત.

ચોંકાવનારી વાત એ છે કે, 2003 પછી ભારત ક્યારેય ICC ઈવેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી, એટલે જો ભારત જીતશે તો આજે 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે કોઈ ICC ટ્રોફી ઈવેન્ટમાં જીતશે

ભારતીય ટીમ પ્લેઇંગ XI

રોહિત શર્મા

વિરાટ કોહલી

કેએલ રાહુલ

શ્રેયસ ઐયર

રવિન્દ્ર જાડેજા

સૂર્યકુમાર યાદવ

બૂમરાહ

કુલદીપ યાદવ

મોહમ્મદ સિરાજ

શુભમન ગીલ

મોહમ્મદ શામી

શું વરસાદ ખેલ બગાડશે?

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે.આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવવાની છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના વિજય રથને રોકવા અને વિજય હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ પાસે 2016માં ભારત દ્વારા ODI મેચમાં મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.ત્યારે સવાલ એ છે કે રવિવારે ધર્મશાળાના મેદાન પર રનનો ખડકલો થશે કે પછી હવામાન ખેલ બગાડશે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં રવિવારે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે ધર્મશાલાની પિચ કેવી છે અને કયા બેટ્સમેન કે બોલર માટે ફાયદાકારક છે.

હિમાચલ પ્રદેશના ખુબસુરત સ્ટેડિયમ ધર્મશાળામાં રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટકરાવ થશે. ધર્મશાળાની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ થઇ શકે છે. જો બેસ્ટમેન ક્રિઝ પર બેટીંગ કરતી વખતે થોડો સમય ટકી જાય છે તો એ ખેલાડીઓ માટે રન બનાવવા આસાન બનશે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તમ સ્પિનર્સનો પણ પ્રભાવ જોવા મળશે.

ધર્મશાલા મેદાન પર પ્રથમ દાવની સરેરાશ 231ની રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે પાછળથી બેટિંગ કરનારી ટીમો વધુ જીત મેળવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે. હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ધર્મશાળામાં મૌસમ ઠંડુ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 20 ટકા વ્યકત કરવામાં આવી છે. જ્યારે તાપમાન 13 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે રહેશે એવી ધારણા છે.

ODI વર્લ્ડ કપ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચ જીતી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી અને છેલ્લી વખત તેઓ 2019માં આમને સામને હતા, જેમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી હતી. તો બીજી તરફ વન-ડે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 116 વખત ટક્કર થઇ છે, જેમાં ભારતે 58 વખત અને ન્યૂઝીલેન્ડ 50 વખત મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણાયક અને 1 મેચમાં ટાઇ રહી હતી.

ટીમ ઇન્ડિયા માટે એક આંચકો એ છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાને કારણે ધર્મશાળાની મેચ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.