વેસ્ટ ઈન્ડીઝ સામે સીરિઝ હાર્યા બાદ રાહુલ દ્રવિડે જાણો શું કહ્યું

વેસ્ટ ઇન્ડીઝ સામે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે નિવેદન આપ્યું હતું. દ્રવિડે કહ્યું કે, જે ટીમ આપણે ઉતારી હતી, તેનાથી આપણને તે છૂટ ન મળી જેનાથી આપણે ટીમ સંયોજનમાં ફેરફાર કરી શકીએ. પણ મારું માનવું છે કે, અમુક ક્ષેત્ર એવા છે કે, જેમાં આપણે સારું કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, બેટિંગ સુધરાવી એ એક એવું ક્ષેત્ર છે કે, જેમાં આપણે કામ કરી શકીએ. અમે પોતાની તરફથી દરેક સંભવ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. પણ, નિશ્ચિત રૂપે આ એક એવું ક્ષેત્ર છે કે, જેના પર આપણે ધ્યાન આપી શકીએ છીએ. આપણે પોતાની બોલિંગને નબળી ન કરી શકીએ. પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે, આપણી બોલિંગમાં ઉંડાણ હોય.

તેનાથી વિપરિત વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં ઓલરાઉન્ડરની ભરમાર છે તથા એલઝારી જોસેફ 11મા નંબર પર બેટિંગ માટે ઉતરી રહ્યો હતો. દ્રવિડે કહ્યું કે, આ પ્રારુપમાં સ્કોર સતત મોટા થઇ રહ્યા છે. જો તમે વેસ્ટ ઇન્ડીઝને જુઓ તો એલઝારી જોસેફ 11મા નંબર પર બેટિંગ માટે ઉતરે છે અને તે લાંબા હિટ મારી શકે છે. તેથી એવી કંઇ ટીમ છે જેની બેટિંગમાં ઉંડાણ છે.

તેમણે કહ્યું કે, નિશ્ચિત રૂપે આ મામલે અમારી સામે એવા પડકારો છે અને અમારે તેના પર કામ કરવાની જરૂર છે. આ સીરિઝે નિશ્ચિત રૂપે અમને એ બતાવ્યું કે, અમારે પોતાની નીચલા ક્રમની બેટિંગને મજબૂત કરવી પડશે. તિલક વર્મા, યશસ્વી જયસવાલ અને મુકેશ કુમારે આ T20 સીરિઝમાં પદાર્પણ કર્યું અને દ્રવિડ આ ત્રણેના પ્રદર્શનથી પ્રભાવિત છે. દ્રવિડે કહ્યું કે, મારું માનવું છે કે, પદાર્પણ કરનારા ત્રણે ખેલાડીઓએ પદાર્પણમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. યશસ્વી જયસવાલે ચોથી મેચમાં શાનદાર ઇનિંગ રમી. તેણે બતાવ્યું કે, જે તેણે IPLમાં કર્યું હતું તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરી શકે છે.

તેણે કહ્યું કે, તિલક વર્માએ મધ્યક્રમમાં વાસ્તવમાં સારું પ્રદર્શન કર્યું. તેણે અમુક અવસરો પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગની તુલના કરી પણ તેનાથી પોતાના ઇરાદા બતાવ્યા અને સકારાત્મક બેટિંગ કરી. મુકેશે આ સમયમાં દરેક પ્રારુપોમાં પદાર્પણ કર્યું અને મને લાગે છે કે, તેણે ઘણી સારી રીતે સામંજસ્ય બતાવ્યું. એશિયા કપ અને વર્લ્ડ કપથી પહેલા હવે એક દિવસીય ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને દ્રવિડે સંકેત આપ્યા કે, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ ઐયર સહિત ચોટિલ ખેલાડીઓને એશિયા કપમાં મોકો આપી શકે છે. તેમણે કહ્યું કે, અમારા અમુક ખેલાડીઓ ઇજામાંથી ઉભર્યા બાદ વાપસી કરી રહ્યા છે. અમારે તેમને એશિયા કપમાં મોકો આપવો પડશે. એશિયા કપ માટે 23મી ઓગસ્ટથી બેંગલોરમાં અમારું એક સપ્તાહનું શિવિર શરૂ થશે. અમે તેના પર ફોકસ કરીશું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.