રોહિત મેદાન બહાર પણ એવું કામ કરે છે જે જાણીને તમે કહેશો વાહ

On

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની જોરદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવી છે. તે લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. રોહિત શર્માને આખી દુનિયા હિટમેન તરીકે ઓળખે છે.

તે મેદાનમાં જેટલો આક્રમક દેખાય છે, તેટલો જ રિયલ લાઈફમાં તે ખૂબ જ નરમ દિલનો છે. ટીમ ઈન્ડિયાનો આ ઓપનિંગ બેટ્સમેન સામાજિક કાર્યોમાં પણ આગળ છે. તેણે આ દુનિયાને સુંદર બનાવવા માટે ઘણી વખત ઘણા સારા સારા કામો કર્યા છે. તો ચાલો આ બાબતે આજે અમે તમને જણાવીએ કે, રોહિતે દુનિયાને રહેવા લાયક બનાવવા માટે કયા કયા ઉમદા કાર્યો કર્યા છે.

સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના કચરાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જ્યારે આ પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે તે માત્ર દરિયાઈ જીવો માટે જ નહીં પરંતુ આપણા માટે પણ ખતરો બની જાય છે. તેને ઘટાડવા માટે રોહિત શર્માએ એડિડાસ સાથે મળીને ખાસ કપડાં લોન્ચ કર્યા. આ ખાસ કપડાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by adidas India (@adidasindia)

રોહિત શર્માએ PETA સાથે મળીને બેઘર બિલાડીઓ અને કૂતરાઓની નસબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમની સંખ્યાને નિયંત્રિત કરીને, બેઘર પ્રાણીઓની સમસ્યા હલ કરી શકાય છે. આ માટે તેણે એક જાહેરાત શૂટ કરી હતી. તેમજ રખડતા પશુઓને નુકશાન ન કરવા અપીલ કરી હતી.

રોહિત શર્માએ કેન્યામાં જંગલી પ્રાણીઓને બચાવવા માટે શિકાર વિરોધી અભિયાન ચલાવ્યું. તેનો હેતુ જંગલી પ્રાણીઓને બચાવવાનો હતો. આ અભિયાનમાં હોલિવૂડ સ્ટાર્સ મેટ લે બ્લેન્ક અને સલમા હાયકે પણ તેને સપોર્ટ કર્યો હતો.

રોહિત શર્માએ ગેંડાના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવ્યું છે. તે IPLમાં ગેંડા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ શૂઝ પહેરીને પણ જોવા મળ્યો હતો. 2019માં રોહિતે Rohit4Rhinos અભિયાન પણ કર્યું હતું.

2020માં જ્યારે આખો દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા આગળ આવ્યો અને દાન આપ્યું. રોગચાળા દરમિયાન, તેમણે PM કેર્સ ફંડમાં રૂ. 45 લાખ, CMના રાહત ફંડમાં રૂ. 25 લાખ, ફીડિંગ ઇન્ડિયાને રૂ. 5 લાખ અને રખડતા કૂતરાઓના કલ્યાણ ફંડમાં રૂ. 5 લાખનું દાન આપ્યું હતું.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati