છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત ન અપાવી શકતા રડી પડ્યો જમાન ખાન, જુઓ વીડિયો

PC: twitter.com

શ્રીલંકાને છેલ્લા બોલે 2 રનની જરૂર હતી પણ પાકિસ્તાન માટે પહેલી મેચ રમી રહેલો જમાન ખાન પોતાની ટીમને જીત નહોતો અપાવી શક્યો. પાકિસ્તાનને હાર મળતા જમાનની આંખમાં આંસુ આવી ગયા હતા. શ્રીલંકાએ જેવા બે રન લીધા જમાન નિરાશ થઈને પીચ પર જ બેસી ગયો હતો અને એની આંખમાં આંસુ આવી ગયા હતા. ત્યાર બાદ શાહીન શાહ આફ્રિદી તેની પાસે આવ્યો હતો અને તેને સમજાવીને ગળે લગાવીને સાંત્વના આપી હતી.

છેલ્લી ઓવરમાં આઠ રનની જરૂર હતી

પહેલો બોલ- 1 રન

બીજો બોલ- 0 રન

ત્રીજો બોલ- 1 રન

ચોથો બોલ- વિકેટ

પાંચમો બોલ- ફોર

છઠ્ઠો બોલ- 2 રન

શ્રીલંકાએ પાક.નું સપનું તોડ્યું, લગાવી રેકોર્ડ્સની લાઇન, ભારત સામે રમશે ફાઇનલ

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4 મેચમાં શું જોરદર મેચ જોવા મળી. મતલબ આખી મેચ જ પૈસા વસૂલ હતી. આ મેચના હીરો શ્રીલંકાના ચરિથ અસલંકા બની ગયો, તેણે 47 બૉલમાં નોટઆઉટ 49 રનોની ઇનિંગ રમી. અંતિમ બે બૉલ પર શ્રીલંકાને 6 રન અને છેલ્લી ઓવરમાં 8 રન જોઈતા હતા. અસલંકા શાંતચિત્ત રહ્યો અને ધૈર્ય બનાવી રાખ્યું અને મેચનો હીરો બનીને ફર્યો. તેની મદદથી શ્રીલંકન ટીમ ઇતિહાસમાં 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચી.

આ અગાઉ કુસલ મેન્ડિસે 87 બૉલમાં 91 રનોની ઇનિંગ રમીને શ્રીલંકાને જીત હાંસલ કરવા માટે મહત્ત્વનું યોગદાન પ્રદાન કર્યું. તો સદીરા સમરવિક્રમાએ પણ 48 રન બનાવ્યા. એશિયા કપના ઇતિહાસમાં એવું માત્ર 2 વખત થયું છે જ્યારે કોઈ રન ચેઝ છેલ્લા બૉલ પર થયા હોય. આ અગાઉ વર્ષ 2018માં એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમે 3 વેકેટે જીત હાંસલ કરી હતી. હવે 17 સપ્ટેમ્બરના રોજ ભારત શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાશે. વરસાદથી બાધિત મેચમાં પાકિસ્તાને 42 ઓવરમાં 252 રનોનો સ્કોર ઊભો કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને નોટઆઉટ 86 રન બનાવ્યા હતા.

વન-ડે એશિયા કપમાં જિતનું નજીકનું અંતર (વિકેટ દ્વારા)

1 વિકેટ પાકિસ્તાન વર્સિસ ભારત, મીરપુર (2014)

2 વિકેટ: શ્રીલંકા વર્સિસ ભારત, ફતુલ્લાહ, (2014)

2 વિકેટ: શ્રીલંકા વર્સિસ પાકિસ્તાન, કોલંબો (2023)

એશિયા કપ (વન-ડે)માં શ્રીલંકા દ્વારા સર્વોચ્ચ સફળ રનચેઝ

265 વર્સિસ ભારત, ફતુલ્લાહ, 2014

261 વર્સિસ પાકિસ્તાન, મીરપુર 2014

252 વર્સિસ પાકિસ્તાન, કોલંબો (DRL), 2023

240 વર્સિસ ભારત, કોલંબો (DRL), 1997

એશિયા કપ ફાઇનલમાં સૌથી વધુ વખત રમનારી ટીમ (ODI + T20I)

શ્રીલંકા: 12

ભારત: 10

પાકિસ્તાન: 5

બાંગ્લાદેશ: 3

ભારત-શ્રીલંકા વચ્ચે એશિયા કપમાં નવમી વખત ફાઇનલ મેચ:

ભારતીય ટીમ આ વખત વન-ડે એશિયા કપમાં 10મી વખત ફાઇનલ રમવા ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધી 9માંથી 6 વખત ટ્રોફી જીતી છે. ભારતીય ટીમે વર્ષ 2016માં T20 એશિયા કપની ટ્રોફી પણ જીતી હતી. ભારતીય ટીમે 9માંથી 8 વખત શ્રીલંકા વિરુદ્ધ અને એક વખત બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે એશિયા કપ ફાઇનલ રમી છે. આ વખત ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં નવમી વખત મેચ થશે. ભારતીય ટીમે એશિયા કપની પહેલી ફાઇનલ વર્ષ 1984માં રમી હતી. ત્યારે ટૂર્નામેન્ટનું આયોજન USEમાં થયું હતું, આ ફાઇનલમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને હરાવી હતી.

છેલ્લી વખત ભારતીય ટીમે વન-ડે એશિયા કપની ફાઇનલ 2018માં રમી હતી. દુબઈમાં થયેલી આ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ટ્રોફી જીતી હતી. એશિયા કપ (T20, વન-ડે)ના ઇતિહાસમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને વર્ષ 2018માં એશિયા કપની ટ્રોફી જીતી હતી. તો બીજા નંબર પર શ્રીલંકા છે જેણે 6 વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. શ્રીલંકન ટીમે વર્ષ 1986, 1997, 2004, 2008, 2014 અને વર્ષ 2022માં એશિયા કપની ટ્રોફી જીતી ચૂકી છે. તો 2000 અને વર્ષ 2012માં એશિયા કપની ટ્રોફી પાકિસ્તાને જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp