દેશમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુજરાતના ટ્રેડર્સ ત્રીજા ક્રમે અને તેમાંથી 60% આ શહેરના

વૈશ્વિક સ્તરે ઇક્વિટી-મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રત્યે ભારત હજુ ધણું પાછળ છે તેમાં પણ ફ્યુચરની તુલનાએ ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ હજુ એન્ટર જ થઇ રહ્યાં છે તેમ કહેવું ખોટું નથી. વિશ્વના વિકસીત દેશોમાં ફ્યૂચર ટ્રેડિંગ કરતા ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ વધુ ટ્રેડ કરે છે. જોકે, ભારતીય માર્કેટમાં પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓપ્શન ટ્રેડમાં નંબર ઓફ શેર્સમાં વોલ્યુમ ઝડપભેર વધવા લાગ્યું છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ હજુ ઘણા પાછળ છે. ઓપ્શન ટ્રેડિંગમાં ટ્રેડર્સ માં હજુ અવેરનેસ જોઇએ તેટલી નથી. ઓપ્શન ટ્રેડિંગ મુદ્દે જાગૃતિ લાવવા માટે જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા 18 માર્ચે સુરતમાં મેગા અવેરનેસ પ્રોગ્રામ યોજાઇ રહ્યો છે જેમાં દેશ-વિદેશના 25 થી વધુ નિષ્ણાતો સરેરાશ 7000થી વધુ ટ્રેડર્સ ને માર્ગદર્શન પુરૂ પાડશે.

ટ્રેડર્સમાં પણ જાગૃતત્તા આવી રહી છે અને તેઓ પણ કરેલા રોકાણમાં નફો-નુકસાનને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યાં છે. ઓપ્શન ટ્રેડિંગ એવું છે જેમાં ટ્રેડર્સ જાતે જ નફો અને નુકસાનને બુક કરી શકે છે. દેશમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુજરાતના ટ્રેડર્સ ત્રીજા ક્રમે આવે છે એટલું જ નહિં ગુજરાતમાં સૌથી વધુ ઓપ્શન ટ્રેડિંગ 60 ટકાથી વધુ સુરતના ઇન્વેસ્ટર્સ દ્વારા થઇ રહ્યું હોવાનું જૈનમ બ્રોકિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખે જણાવ્યું હતું. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે જે ટ્રેડર્સ પ્રોફેશનલ ટ્રેડિંગ કરે છે તે સૌથી વધુ ઓપ્શન ટ્રેડિંગમાં જ સક્રિય રહે છે. ઇન્વેસ્ટર્સ પાસે ટેક્નોલોજીનો વ્યાપ ઉપલબ્ધ હોવાથી ટેક્નોલોજીના માધ્યમ દ્વારા ઝડપભેર કમાણીનું માધ્યમ શોધી રહ્યાં છે. વિશ્વમાં અમેરિકામાં સૌથી વધુ ઓપ્શન ટ્રેડ થઇ રહ્યું છે.

ટ્રેડર્સને વધુ અને સલામત રિટર્ન કેવી રીતે મળી રહે તે હેતુ માટે અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે. 18મી માર્ચે 25થી વધુ માર્કેટ નિષ્ણાંતોની ઉપસ્થિતીમાં સાત હજારથી વધુ ટ્રેડર્સને અવેરનેસ પ્રોગ્રામ આપશે. ચીફ ગેસ્ટ તરીકે એનએસઇના એમડી આશીષ ચૌહાણ તથા ગુજરાતના BJPના પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ટ્રેડર્સને ઓપ્શન્સ ટ્રેડિંગ / સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ને લગતા 51થી વધુ સર્વિસ પ્રોવાઇડર જેમ કે ચાર્ટ પ્લેટફોર્મ, અલ્ગો પ્લેટફોર્મ,નવી નવી ટેકનોલોજી દ્રારા માહિતગાર કરાશે તેવો નિર્દેશ જૈનમ બ્રોકિંગ લિમિટેડના ડિરેક્ટર સીએ દિશાંત પરીખે વ્યક્ત કર્યો હતો.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.