પ્રદિપ સાંગવાનઃ જે પ્લાસ્ટિક કચરો ટૂરિસ્ટ હિમાલયમાં છોડીને જાય છે, તે સાફ કરે છે

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હમણાં આપણે જિજ્ઞાસાથી, કંઈક નવું શીખવાની અને કરવાની વાત કરી રહ્યા હતા. નવા વર્ષે, નવા સંકલ્પોની વાત પણ કરી રહ્યા હતા. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે સતત કંઈકને કંઈક નવું કરી રહ્યા છે, નવા-નવા સંકલ્પોને સિદ્ધ કરતા રહે છે. આપે પણ આપણા જીવનમાં અનુભવ્યું હશે કે, જ્યારે આપણે સમાજ માટે કંઈક કરીએ છીએ તો ઘણું બધું કરવાની ઉર્જા સમાજ પોતે જ આપણને આપે છે. સામાન્ય લાગતી પ્રેરણાઓથી બહુ મોટા કામ પણ થઈ જાય છે. એવા જ એક યુવાન છે પ્રદિપ સાંગવાન.

PMએ કહ્યું કે, ગુરુગ્રામના પ્રદિપ સાંગવાન 2016થી Healing Himalayas નામથી અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પોતાની ટીમ અને વોલેન્ટિયર્સ સાથે હિમાલયના અલગ-અલગ વિસ્તારોમાં જાય છે, અને જે પ્લાસ્ટિક કચરા ટૂરિસ્ટ ત્યાં છોડીને જાય છે, તે સાફ કરે છે. પ્રદિપજી અત્યારસુધી હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ લોકેશનમાંથી ટનબંધ પ્લાસ્ટિક સાફ કરી ચૂક્યા છે. આવી જ રીતે કર્ણાટકના એક યુવા દંપત્તિ છે, અનુદીપ અને મિનૂષા. અનુદીપ અને મિનૂષાએ હમણાં ગત મહિને નવેમ્બરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ ઘણાં યુવાનો ફરવા જાય છે, પરંતુ આ બંનેએ કંઈક અલગ જ કર્યું. આ બંને હંમેશા જોતા હતા કે લોકો પોતાના ઘરની બહાર ફરવા જાય છે, પરંતુ જ્યાં જાય છે ત્યાં ઘણો કચરો છોડીને આવે છે. કર્ણાટકના સોમેશ્વર બીચ પર આવી જ સ્થિતી છે. અનુદીપ અને મિનૂષાએ નક્કી કર્યું કે સોમેશ્વર બીચ પર લોકો જે કચરો છોડીને ગયા છે, તેને સાફ કરશે. બંને પતિ-પત્નીએ લગ્ન બાદ તેમનો પહેલો સંકલ્પ આ જ લીધો. બંને એ મળીને સમુદ્ર તટનો ઘણો કચરો સાફ કરી નાખ્યો છે. અનુદીપે તેમના આ સંકલ્પ વિશે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું છે. પછી શું, તેમના આટલા સુંદર વિચારથી પ્રભાવિત થઈને અઢળક યુવાનો તેમની સાથે આવીને જોડાઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે. આ લોકોએ મળીને સોમેશ્વર બીચ પરથી 800 કિલોથી વધુ કચરો સાફ કર્યો છે.

PMએ કહ્યું કે, આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ વિચારવાનું છે કે કચરો આ બીચ beaches પર, પહાડો પર, પહોંચે છે કેવી રીતે? આખરે આપણાંમાંથી જ કોઈ લોકો આ કચરો ત્યાં છોડીને આવે છે. આપણે પ્રદીપ અને અનુદીપ-મિનૂષાની જેમ સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. પરંતુ તેની પહેલાં આપણે એ સંકલ્પ લેવો જોઈએ કે અમે કચરો ફેલાવશું નહીં. આમ પણ સ્વચ્છ ભારત અભિયાનનો પહેલો સંકલ્પ પણ તો આ જ છે. હા, વધુ એક વાત હું આપને યાદ અપાવવા માંગુ છું. કોરોના ને કારણે આ વર્ષે એટલી ચર્ચા થઈ નથી શકી. આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો જ છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.