હમાસના હુમલા બાદ ઇઝરાયલી PMએ કરી જંગની જાહેરાત, કહ્યુ- યુદ્ધની કિંમત ચૂકવવી પડશે

હમાસના ઍટેક બાદ ઈઝરાયલના PM બેન્જામીન નેતન્યાહુએ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, આ હુમલો નથી, યુદ્ધ છે અને અમે યુદ્ધમાં પ્રવેશ કરી ગયા છીએ. હમાસને આ ભૂલ માટે અભૂતપૂર્વ કિંમત ચૂકવવી પડશે. હમાસે એવા સમયે હુમલો કર્યો છે, જ્યારે તહેવારોની રજાઓ હતી. તેમણે વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ઇઝરાયલના નાગરિકો, આપણે યુદ્ધમાં છીએ. આ કોઈ ઓપરેશન નથી, કોઈ તણાવ નથી, આ યુદ્ધ છે અને આપણે જીતીશું.

પેલેસ્ટાઈન આતંકવાદીઓએ ઈઝરાયલ પર રોકેટ છોડ્યા પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારે વહેલી સવારે ઇઝરાયલના વિસ્તારો પર ડઝનેક રોકેટ છોડ્યા હતા, જેના કારણે એક મહિલાનું મોત પણ થયું હતું. આ હુમલા પછી ઈઝરાયલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયલ સરકારે તેના નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

રિપોર્ટ અનુસાર, ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટ છોડવામાં આવ્યા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, હવાઈ હુમલા અંગે ચેતવણી આપતી સાયરનનો અવાજ છેક આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ-અવીવ સુધી સંભળાયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શનિવારે વહેલી સવારે થયેલો આ બોમ્બ વિસ્ફોટ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. ઇઝરાયલના બચાવ જૂથ 'મેગેન ડેવિડ એડોમ'એ જણાવ્યું છે કે દક્ષિણ ઇઝરાયલમાં એક ઇમારત પર રોકેટ પડતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ સિવાય એક 20 વર્ષીય યુવકને પણ થોડી ઈજા થઈ છે.

પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે, જ્યારે તાજેતરમાં ગાઝા અને ઈઝરાયલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું.

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ દેઈફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે. ડેફ અનુસાર, આ ઓપરેશન શરૂ કરવા માટે, હમાસે શનિવારે વહેલી સવારે ઇઝરાયલ પર 5,000 રોકેટ છોડ્યા છે.

ડેફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે નક્કી કર્યું છે કે હવે બહુ થયું. અમે તમામ પેલેસ્ટાઈનીઓને ઈઝરાયલનો મુકાબલો કરવા વિનંતી કરીએ છીએ.' ઈઝરાયલે મોહમ્મદ ડેફને ઘણી વખત મારવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે દરેક વખતે બચી જાય છે.

ગાઝા પટ્ટી એ એક નાનો પેલેસ્ટિનિયન પ્રદેશ છે, જે ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તેના પર 'હમાસ'નું શાસન છે, જે ઈઝરાયલ વિરોધી આતંકવાદી જૂથ છે. તે એટલા માટે કારણ કે પેલેસ્ટાઇન અને અન્ય ઘણા મુસ્લિમ દેશો ઇઝરાયલને યહૂદી રાજ્ય તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરે છે.

1947 પછી, જ્યારે UNએ પેલેસ્ટાઈનને યહૂદી અને આરબ રાજ્યમાં વિભાજિત કર્યું, ત્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો, જેમાં એક મહત્વનો મુદ્દો તેને યહૂદી રાજ્ય તરીકે સ્વીકારવાનો છે અને બીજો ગાઝા પટ્ટીનો છે, જે ઈઝરાયલની સ્થાપના કરી છે. ત્યારથી, તે ઇઝરાયલ અને અન્ય આરબ દેશો વચ્ચે સંઘર્ષનું કારણ બની ગયો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.