માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સની સૌથી મોટી ચિંતા-આગામી 25 વર્ષોમાં..

On

અબજપતિ અને દુનિયાના સૌથી મોટા દાતાઓમાં સામેલ બિલ ગેટ્સ જળવાયુ પરિવર્તનથી થનારા જોખમ અને સાઇબર હુમલા જેવા મુદ્દાઓ બાબતે લોકોને વારંવાર સાવચેત કરતા રહે છે. જો કે, હવે 2 સંકટ તેમને સૌથી વધુ ચિંતિત કરે છે તે યુદ્ધ અને મહામારી છે. માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે, હાલના સમયમાં વૈશ્વિક અશાંતિ જલદી જ એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. એમ થવાથી આપણે પાછા પણ બચી જઈએ, પરંતુ આગામી 25 વર્ષોમાં સૌથી વધુ સંભાવના છે તે એક મહામારી હશે.

બિલ ગેટ્સના મતે ભવિષ્યની મહામારી દરમિયાન મુખ્ય પ્રશ્ન એ હશે કે શું દુનિયા કોરોના મહામારી જેવા જોખમ માટે પહેલાથી સારી રીતે તૈયાર છે? બિલ ગેટ્સે CNBCને અમેરિકાની પ્રતિક્રિયા પર વિચાર કરતા કહ્યું કે, જે દેશ પાસે દુનિયાને નેતૃત્વ કરવા અને મોડલ બનવાની આશા હતી, તે એ દિશામાં ખરો ઉતર્યો નથી. પોતાના 2022ના પુસ્તકમાં બિલ ગેટ્સે 2020 મહામારી સામે લડવાની તૈયારીઓની કમી માટે અલગ અલગ દેશોની સરકારોની નિંદા કરી હતી.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહી ચૂકેલા બિલ ગેટ્સે દુનિયાભરના દેશો માટે મહામારીને નિપટવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. તેમાં બીમારીની દેખરેખ અને વેક્સીન રિસર્ચમાં રોકાણનું પ્રોત્સાહન સામેલ છે. કોરોના મહામારી બાબતે બોલતા બિલ ગેટ્સે ટિપ્પણી કરી હતી કે, જો કે કોરોના વાયરસ મહામારીથી કેટલાક બોધ લેવામાં આવ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે એ અપેક્ષાથી ખૂબ ઓછો છે. આપણે અત્યારે પણ પૂરી રીતે એ વાત પર વિચાર કરી રહ્યા નથી કે આપણે શું સારું કર્યું અને ક્યાં કમી રહી ગઈ. આશા છે કે આગામી 5 વર્ષોમાં તેમાં સુધાર થશે.

આ અગાઉ બિલ ગેટ્સે કહ્યું હતું કે કુત્રિમ બુદ્ધિમતા (AI) આગામી 5 વર્ષોમાં લોકો માટે પરિવર્તનકારી હશે. નેવી ટેક્નિકથી ડરવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે એ નવા અવસર ઉત્પન્ન કરશે. આ ટિપ્પણી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાના એ નિવેદનના થોડા દિવસ બાદ આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, AI વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં 60 ટકા નોકરીઓ અને આખા વિશ્વમાં 40 ટકા નોકરીઓને પ્રભાવિત કરશે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati