જેવા સાથે તેવા: કેનેડાના નાગરિકો માટે ભારતમાં વીઝા પર રોક લગાવી દેવાઈ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના નિવેદન પછી ભારત ગુસ્સે ભરાયું છે અને કેનેડાના ભારતના હાઇકમિશ્નરની હકાલપટ્ટી પછી હવે બીજું મોટું પગલું લીધું છે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધારે વણસાવશે. ભારત સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે  કેનેડાના નાગરિકો માટેની વીઝા સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. બીજી સુચના મળે ત્યાં સુધી કેનેડાના નાગરિકો માટે વીઝા પ્રતિબંધ ચાલું રહેશે.

ભારત વીઝા એપ્લિકેશન સેન્ટર કેનેડાએ જાણકારી આપી છે કે ઓપરેશનલ્સ કારણોસર 21 સપ્ટેમ્બરથી ભારતીય વીઝા સેવા બીજી સુચના મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.BLS વેબસાઇટને ફોલો કરવા કહેવાયું છે.

આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે એડવાઇઝરી જારી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતથી કેનેડા જતા લોકો સાવધાની રાખે. કેનેડામા એવા કોઇ વિસ્તારમાં ન જતા જ્યાં ભારત વિરોધી ગતિવિધીઓને અંજામ આપવામાં આવતો હોય. ભારતે એડવાઇઝરીમાં જાણકારી આપી હતી કે કેનેડામાં ગુનાખોરી અને હેટ ક્રાઇમમાં વધારો થયો છે. કેનેડામાં મોજુદ ભારતીય હાઇ કમિશને પણ કહ્યુ કે અધિકારીઓએ એ લોકોના સંપર્કમાં રહેશે,જે કેનેડામાં મોજુદ છે.

બંને દેશો વચ્ચે ચાલી રહેલી તકરાર વચ્ચ ગુરુવારે ભારતમાં કેનેડાના હાઇ કમિશને એક નોટિફિકેશન જારી કરીને સુચના આપી હતી. તેમણે લખ્યુ કે ભારતમાં અમારા હાઇ કમિશન અને વાણિજય દુતાવાસની ઓફિસો ચાલું છે અને ગ્રાહકોને સેવા આપવાનું ચાલું છે. વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને જ્યાં તણાવ વધેલો છે, અમે પોતાના રાજનાયિકોની સુરક્ષા નિશ્ચિત કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક રાજનાયિકોને જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળવાને કારણે ગ્લોબલ અફેર્સ કેનેડા ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યાનું આકલન કરી રહી છે.પરિણામે, અને પુષ્કળ સાવચેતીના કારણે, અમે ભારતમાં કર્મચારીઓની હાજરીને અસ્થાયી રૂપે સમાયોજિત કરવાનું નક્કી કર્યું છે.

તાજેતરમાં કેનેડાના સર્રેમાં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેની પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ બકવાસ નિવેદન આપ્યું હતું. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર હોય શકે છે.

કેનેડાએ ભારતના ટોચના રાજદ્રારીને કાઢી મુક્યા હતા અને તેની સામે ભારતે પણ કેનેડાના હાઇ કમિશનને સમન્સ મોકલીને હાંકી કાઢ્યા હતા. જો કે ભારતે તેમને દેશ છોડવા માટે સમય આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.