ભૂકંપની તબાહી જોઈ તાનાશાહનું હૃદય પણ પીગળી ગયું, આ જાહેરાત કરી દીધી

ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં સુધી લગભગ 8 હજાર લોકોના મોત થયા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને સીરિયામાં તબાહીને લઈને શોક સંદેશ આપ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ભૂકંપ પર તેમના સીરિયાના સમકક્ષ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને એક વૉઇસ સંદેશમાં કિમ જોંગ ઉને કહ્યું, મને ખાતરી છે કે તમારા નેતૃત્વ હેઠળ, સીરિયાની સરકાર અને લોકો ભૂકંપને કારણે થયેલા નુકસાનને જલદીથી દૂર કરશે અને અસરગ્રસ્ત લોકોનું જીવન સ્થિર થઈ જશે.

દરમિયાન, દક્ષિણ કોરિયાએ કહ્યું કે તે તુર્કીને સંકટની માનવતાવાદી સહાયમાં 5 મિલિયન ડોલરની ઓફર કરશે, અને સર્ચ અને રેસ્ક્યુ કામગીરીને ટેકો આપવા માટે 110 લોકોની ટીમને મોકલશે. ચિકિત્સા આપૂર્તિ પણ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ મંગળવારે આ માહિતી આપી.

જાન્યુઆરી 2023માં જ સમાચાર સામે આવ્યા હતા કે કિમ જોંગ ઉન તેમના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે તે આખો દિવસ દારૂ પીતો રહે છે અને રડતો રહે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કિમ જોંગ ઉન ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. તે ખૂબ જ એકલતા અનુભવે છે અને દબાણમાં છે. તેમનું વજન વધી ગયું છે અને તે સતત દારૂ પી રહ્યા છે અને ધૂમ્રપાન કરી રહ્યા છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.