8 કલાકની પરીક્ષા, 90 સેકન્ડ અગાઉ પૂરી થઈ, આ દેશમાં કોર્ટ પહોંચ્યા વિદ્યાર્થીઓ

On

દક્ષિણ કોરિયામાં વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ બ્યૂગલ ફૂંકી દીધું છે. એક કોલેજમાં એડમિશન માટે થઈ રહેલી પરીક્ષાને 90 સેકન્ડ અગાઉ સમાપ્ત કરી દીધી, જેથી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફૂટી પડ્યો છે. એવામાં વિદ્યાર્થી સરકાર વિરુદ્ધ કોર્ટ પહોંચી ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ પરીક્ષા 8 કલાક લાંબી હતી. આ ઘટના રાજધાની સિયોલના એક પરીક્ષા સેન્ટરમાં થઈ. કોર્ટ તરફ જઇ રહેલા વિદ્યાર્થીએ સરકાર પાસે 12 હજાર પાઉન્ડ વળતરની માગ કરી છે.

વિદ્યાર્થીઓએ મંગળવારે કોર્ટમાં આ કેસ દાખલ કર્યો છે. તેના પર 39 વિદ્યાર્થીઓના હસ્તાક્ષર છે. વિદ્યાર્થીઓએ તેના માટે સરકારને પણ જવાબદાર ઠેરવી છે. આ વિદ્યાર્થીઓએ એ પરીક્ષક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેણે પરીક્ષા સમાપ્ત થવાના નક્કી સમયથી 90 સેકન્ડ અગાઉ ઘંટી વગાડી દીધી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોરિયન લેંગ્વેજની પરીક્ષા દરમિયાન નક્કી સમયથી 90 સેકન્ડ અગાઉ ઘંટી વગાડવામાં આવી હતી. જો કે, આ બાબતે તરત જ વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારબાદ પણ સુપરવાઇઝરે વિદ્યાર્થીઓ પાસેથી પેપર છીનવી લીધા, પરંતુ આ દરમિયાન શિક્ષકોને બીજા સેશનની પરીક્ષા અગાઉ અનુભવ થયો અને તેમણે આ મામલાને રફે-દફે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓનો ગુસ્સો ફૂટી પડ્યો હતો.

કેવી હોય છે આ પરીક્ષા?

આ પરીક્ષા પોતાની સમયાવિધિને લઈને હંમેશાં ચર્ચા રહે છે. 8 કલાકની આ પરીક્ષા બેક ટૂ બેક ઘણા વિષયની પરીક્ષા હોય છે. આ દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. વિદ્યાર્થીઓના વકીલનું કહેવું છે કે આ બેદરકારીથી વિદ્યાથીઓને ભારે નુકસાન થયું છે કેમ કે આ પરીક્ષાને સૌથી ખર્ચાળ માનવામાં આવે છે. તેના માટે વિદ્યાર્થી આખા વર્ષે સખત તૈયારી કરે છે. વિદ્યાર્થીના વકીલ કિમ વૂ સુકનું કહેવું છે કે આ મામલે શિક્ષણ વિભાગે અત્યારે જ માફી માગવી જોઈએ. આ પરીક્ષાને દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે તેનાથી યુનિવર્સિટી પ્લેસમેન્ટ્સ અને નોકરીઓ નક્કી થાય છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati