તાલિબાને ભારતને આપેલું 'વચન' પૂરું કર્યું, ભારતીયોના હત્યારાને કર્યો ઠાર

કાશ્મીરમાં જન્મેલા જેહાદી કમાન્ડર એજાઝ અહેમદનું અફઘાનિસ્તાનમાં મૃત્યુ થયું છે. તે ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને જલાલાબાદમાં ભારતીય લોકો પર આત્મઘાતી હુમલા કરાવતો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને પરિવારના સભ્યોએ પણ એજાઝના મૃત્યુની પુષ્ટિ કરી છે. એજાઝ શ્રીનગરનો રહેવાસી હતો અને જાન્યુઆરીમાં ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનની કાર્યવાહીમાં આ આતંકવાદીનું મોત થયું છે. ભારતે આ સમગ્ર મામલો તાલિબાન સમક્ષ ઉઠાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજાઝની બહેન ફહમિદા શફીએ જણાવ્યું છે કે તેમને અધિકારીઓએ આતંકવાદીના મોતની જાણકારી આપી છે. ફહમીદાએ કહ્યું, 'પોલીસે થોડા દિવસ પહેલા તેના નાના ભાઈને ફોન કરીને આ માહિતી આપી હતી. મને ખબર નથી કે તે સાચું છે કે નહીં પણ ત્યારથી હું રડી રહી છું.' જમ્મુ-કાશ્મીર પોલીસે આ મૃત્યુ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે એજાઝને સંભવતઃ તાલિબાન દ્વારા ISIS વિરુદ્ધના ઓપરેશનમાં માર્યો ગયો હતો.

એજાઝ તેની પત્ની સાથે અફઘાનિસ્તાનમાં કેદ હતો, પરંતુ તાલિબાનોએ સત્તા સંભાળી લીધા બાદ તે ભાગી ગયો હતો. પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ જે ઘર પર કબજો કરીને અફઘાનિસ્તાનમાં રહેતો હતો, તે હજુ પણ બંધ છે. એજાઝ બાળપણમાં જ પીઓકે ચાલ્યો ગયો હતો અને હરકત-ઉલ-મુજાહિદ્દીનમાં જોડાયો હતો. તેણે પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ લીધી હતી.

તાલિબાને તાજેતરમાં દક્ષિણ અફઘાનિસ્તાનમાં સ્થિત કુનાર વિસ્તારમાં IS વિરુદ્ધ જોરદાર કાર્યવાહી કરી હતી. એવું માનવામાં આવે છે કે ગયા વર્ષે તાલિબાન સાથેની બેઠકમાં ભારતીય અધિકારીઓએ તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં કાશ્મીરી આતંકવાદી એજાઝની સક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ તાજેતરના મહિનાઓમાં તાલિબાનના ઘણા સભ્યોને મારી નાખ્યા હતા. આનાથી તાલિબાન અને આઈએસ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.