તાલિબાને ભારતને આપેલું 'વચન' પૂરું કર્યું, ભારતીયોના હત્યારાને કર્યો ઠાર

કાશ્મીરમાં જન્મેલા જેહાદી કમાન્ડર એજાઝ અહેમદનું અફઘાનિસ્તાનમાં મૃત્યુ થયું છે. તે ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરતો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને જલાલાબાદમાં ભારતીય લોકો પર આત્મઘાતી હુમલા કરાવતો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને પરિવારના સભ્યોએ પણ એજાઝના મૃત્યુની પુષ્ટિ કરી છે. એજાઝ શ્રીનગરનો રહેવાસી હતો અને જાન્યુઆરીમાં ગૃહ મંત્રાલયે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનની કાર્યવાહીમાં આ આતંકવાદીનું મોત થયું છે. ભારતે આ સમગ્ર મામલો તાલિબાન સમક્ષ ઉઠાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજાઝની બહેન ફહમિદા શફીએ જણાવ્યું છે કે તેમને અધિકારીઓએ આતંકવાદીના મોતની જાણકારી આપી છે. ફહમીદાએ કહ્યું, 'પોલીસે થોડા દિવસ પહેલા તેના નાના ભાઈને ફોન કરીને આ માહિતી આપી હતી. મને ખબર નથી કે તે સાચું છે કે નહીં પણ ત્યારથી હું રડી રહી છું.' જમ્મુ-કાશ્મીર પોલીસે આ મૃત્યુ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું કે એજાઝને સંભવતઃ તાલિબાન દ્વારા ISIS વિરુદ્ધના ઓપરેશનમાં માર્યો ગયો હતો.

એજાઝ તેની પત્ની સાથે અફઘાનિસ્તાનમાં કેદ હતો, પરંતુ તાલિબાનોએ સત્તા સંભાળી લીધા બાદ તે ભાગી ગયો હતો. પાકિસ્તાની સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ જે ઘર પર કબજો કરીને અફઘાનિસ્તાનમાં રહેતો હતો, તે હજુ પણ બંધ છે. એજાઝ બાળપણમાં જ પીઓકે ચાલ્યો ગયો હતો અને હરકત-ઉલ-મુજાહિદ્દીનમાં જોડાયો હતો. તેણે પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ લીધી હતી.

તાલિબાને તાજેતરમાં દક્ષિણ અફઘાનિસ્તાનમાં સ્થિત કુનાર વિસ્તારમાં IS વિરુદ્ધ જોરદાર કાર્યવાહી કરી હતી. એવું માનવામાં આવે છે કે ગયા વર્ષે તાલિબાન સાથેની બેઠકમાં ભારતીય અધિકારીઓએ તાલિબાન સાથે અફઘાનિસ્તાનમાં કાશ્મીરી આતંકવાદી એજાઝની સક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ તાજેતરના મહિનાઓમાં તાલિબાનના ઘણા સભ્યોને મારી નાખ્યા હતા. આનાથી તાલિબાન અને આઈએસ વચ્ચે જંગ શરૂ થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.