હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ

On

(ઉત્કર્ષ પટેલ)

આપણું ગુજરાત એક એવું રાજ્ય જેની ઓળખ આપણે અનેક રીતે વર્ણવીએ છીએ. મહાત્મા ગાંધીની અહિંસાનું પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની નિર્ભીકતા, નરેન્દ્રભાઈ મોદીની વિકાસશીલ દ્રષ્ટિ અને અમિતભાઈ શાહની રાજકીય કુશળતાનું સંગમ એટલે આપણું ગુજરાત. આપણા ગુજરાત રાજ્યની ભૂમિ પર એક તરફ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ છે તો બીજી તરફ ગુનાખોરી અને સામાજિક અશાંતિના પડકારો પણ ઓછા નથી. આવા સંજોગોમાં ગુજરાતની શાંતિ અને નાગરિકોની સલામતી જાળવવાનું કાર્ય એક મોટી જવાબદારી છે જે હાલના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથમાં છે.

હર્ષ સંઘવી એક યુવા ચહેરો કે જેમના માથે ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છે પરંતુ તેમની અડીખમ નીતિ અને નિર્ણયશક્તિ તેમને આ જવાબદારી માટે અલગ તારવે છે. ગુજરાતના ગૃહ વિભાગની બાગડોર સંભાળવી એ કોઈ સામાન્ય વાત નથી. આ પદ પર રહીને રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાના જીવનની સલામતીની ખાતરી કરવી એ એક આકરી કસોટી છે. હર્ષ સંઘવીની યુવાનીની ઉર્જા અને તેમની કાર્યશૈલી જોતાં એવું લાગે છે કે તેઓ આ પડકારોને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રતિબદ્ધ છે.

1669117150harsh_sanghvi

ગુજરાતની શાંતિ અને સલામતીનો પડકાર: 

ગુજરાત એક ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આ સમૃદ્ધિ સાથે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવો પણ અનિવાર્ય બની જાય છે. દારૂ ડ્રગ્સની હેરાફેરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સામાજિક અશાંતિ, દીકરીઓના બળાત્કાર અને સાયબર ક્રાઈમ જેવા મુદ્દાઓ આજે ગુજરાત માટે પડકારરૂપ છે. આવા સમયે ગૃહમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ત્વરીત નિર્ણયો અને કડક કાર્યવાહીની નીતિ અપનાવી છે. તેમના કાર્યકાળમાં ગુજરાત પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. પોલીસ તાલીમાર્થીઓના દીક્ષાંત સમારોહમાં તેમની હાજરી અને પ્રેરક ઉદ્બોધનો એ દર્શાવે છે કે તેઓ ગૃહ વિભાગને મજબૂત કરવા માટે કેટલા ગંભીર છે.

યુવાનીની શક્તિ અને જવાબદારીનું સંતુલન: 

હર્ષ સંઘવી એક યુવા ધારાસભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ્યા અને ટૂંકા સમયમાં જ ગૃહ રાજ્યમંત્રી જેવું મહત્ત્વનું પદ સંભાળ્યું. આ યુવાનીમાં જ તેમણે પોતાની કાબેલિયત સાબિત કરવાની તક મળી છે. ગુજરાતમાં બનતી ઘટનાઓ પછી તે મોરબી દુર્ઘટના હોય કે ગેરકાયદેસર દારૂના કૌભાંડો તેમણે દરેક પરિસ્થિતિમાં પ્રજાની ચિંતાઓને સાંભળી અને તેનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની સીધી અને સ્પષ્ટ વાતચીતની શૈલી પ્રજામાં વિશ્વાસ જન્માવે છે. ઉદાહરણ તરીકે નવરાત્રિ દરમિયાન તેમણે લોકોને ગરબા રમવા અને આનંદ માણવા પ્રોત્સાહન આપ્યું જે દર્શાવે છે કે તેઓ ધાર્મિક સાંસ્કૃતિક મૂલ્યોને પણ સમાન મહત્ત્વ આપે છે.

1725089613harsh-sanghavi

કડક નીતિ અને સંવેદનશીલતાનો સમન્વય: 

એક સફળ ગૃહમંત્રીની ઓળખ તેની કડક નીતિ અને પ્રજા પ્રત્યેની સંવેદનશીલતામાંથી થાય છે. હર્ષ સંઘવીએ આ બંને ગુણોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને તેમણે ગુજરાતમાં ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાનું ઉલ્લંઘન સહન નહીં કરાય. બીજી તરફ પોલીસની કામગીરીને પ્રજાકેન્દ્રી બનાવવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના યુવાનોને રોજગારીની તકો અને સ્પોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન આપીને તેઓ સમાજના ભવિષ્યને મજબૂત કરવા માંગે છે.

1719138456harsh

પડકારો અને ટીકાઓ વચ્ચે પણ મક્કમતા: 

કોઈપણ રાજકીય હોદ્દો ટીકાઓથી મુક્ત નથી હોતો. હર્ષ સંઘવી માટે પણ અપવાદ નથી. કેટલીક  ઘટનાઓમાં તેમના નિર્ણયો પર સવાલો ઉઠ્યા છે જેમ કે પોલીસનો બળપ્રયોગ કે ગુનાઓની તપાસમાં ઉઠેલા પ્રશ્નો. પરંતુ આ ટીકાઓ વચ્ચે પણ તેઓ પોતાના લક્ષ્યથી ડગ્યા નથી. ગુજરાતની પ્રજાની સલામતી અને શાંતિ જાળવવી એ સરકારનું પ્રાથમિક ધ્યેય રહ્યું છે. આ માટે તેમણે પોલીસ વિભાગને આધુનિક બનાવવા, તાલીમને વધુ સઘન કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવાના પ્રયાસો કર્યા છે.

હર્ષ સંઘવીનો કાર્યકાળ હજુ ચાલુ છે અને તેમની સામે ઘણા પડકારો બાકી છે. ગુજરાતની શાંતિ અને સલામતી જાળવવી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તેમની ઉર્જા, નવા વિચારો અને પ્રજા પ્રત્યેની નિષ્ઠા જોતાં એવું લાગે છે કે તેઓ ગુજરાતની આગામી પેઢી માટે એક મજબૂત આધારસ્તંભ બની શકે છે. એક સફળ ગૃહમંત્રી તરીકે તેઓ ગુજરાતની કાળજી રાખી શકે એવી ભાવના સાથે આશા રાખીએ કે તેમનું યોગદાન રાજ્યને વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બનાવશે.

(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)

Top News

પાકિસ્તાનમાં કોલ સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા તો લોકોએ ઘૂસીને લૂંટ્યા મોંઘા ગેજેટ્સ

પાકિસ્તાનના લોકો પોલીસ અને તપાસ એજન્સીઓથી પણ ડરતા નથી,આનું એક ઉદાહરણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં...
Tech & Auto 
પાકિસ્તાનમાં કોલ સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા તો લોકોએ ઘૂસીને લૂંટ્યા મોંઘા ગેજેટ્સ

પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા

પંજાબ સરકારની 'બુલડોઝર એક્શન' પર આમ આદમી પાર્ટીના નેતાઓમાં મતભેદો સામે આવ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને AAP સાંસદ...
National 
પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહી પર AAPના જ બે નેતા હરભજન-સોમનાથ ભારતી આમને-સામને થયા

ભારતની સૌથી સસ્તી EV કાર માત્ર રૂ. 4.99 લાખમાં લોન્ચ, નવા ફીચર્સ સાથે 230 Kmની રેન્જ

JSW MG મોટર ઇન્ડિયાએ ભારતમાં તેની લોકપ્રિય MG Comet EVનું 2025 વર્ઝન લોન્ચ કર્યું છે. હવે આ ઇલેક્ટ્રિક કાર...
Tech & Auto 
ભારતની સૌથી સસ્તી EV કાર માત્ર રૂ. 4.99 લાખમાં લોન્ચ, નવા ફીચર્સ સાથે 230 Kmની રેન્જ

શું કોંગ્રેસ ગુજરાતના નાગરિકોની લાગણીઓ સમજી શકશે અને શું ભાજપ લાગણીઓની જાળવણી કરી શકશે?

આપણા ગુજરાતનું રાજકીય ચિત્ર ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશાં અલગ રહ્યું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દાયકાઓથી રાજ્યમાં...
Politics  Opinion 
શું કોંગ્રેસ ગુજરાતના નાગરિકોની લાગણીઓ સમજી શકશે અને શું ભાજપ લાગણીઓની જાળવણી કરી શકશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.