NDA સરકારને મોટો ઝટકો, આ પાર્ટીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પારસે નીતિશ કુમાર સરકાર પર પ્રહારો કર્યા અને તેને દલિત વિરોધી ગણાવી. આ જાહેરાત પટનામાં RLJP દ્વારા આયોજિત બાપુ સભાગર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી.

01

પશુપતિ પારસે આજે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, 'આજથી અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી'.

પશુપતિ પારસે સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનને ભારત રત્ન આપવાની માંગ પણ કરી હતી. તેમણે એ પણ માહિતી આપી કે તેમની પાર્ટી 243 બેઠકો પર સભ્યપદ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. પશુપતિ પારસે ભારતની NDA સરકાર અને બિહાર સરકાર બંને પર હુમલો કર્યો અને કહ્યું કે આ સરકારો ભ્રષ્ટ અને દલિત વિરોધી છે.

તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે ગૃહમાં આંબેડકર સાહેબનું અપમાન કર્યું છે. પશુપતિ પારસે કહ્યું, 'હું આજે અહીં એ જાહેરાત કરવા આવ્યો છું કે હવેથી અમારો NDA સાથે કોઈ સંબંધ નથી. અમે અમારી પાર્ટીને બધી 243 બેઠકો માટે તૈયાર કરીશું અને પાર્ટીના કાર્યકરો ગામડે ગામડે જઈને સંગઠનને મજબૂત બનાવશે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી સમયે જે પણ તેમને માન આપશે તેમની સાથે તેઓ જશે. તેઓ આ નિર્ણય એકલા નહીં લે, પરંતુ પાર્ટીના બધા નેતાઓ સાથે બેસીને નક્કી કરશે કે કોની સાથે ગઠબંધન કરવું. હાલમાં પાર્ટી બધી બેઠકો માટે સ્વતંત્ર રીતે તૈયારી કરશે.

Top News

પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ,   ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ,...
National 
પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

જ્યારે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની ઈકોનોમીને તોડી નાખેલી, 12 દિવસે સેના શરણે થઈ ગયેલી

3 ડિસેમ્બર 1971ના રોજ, જ્યારે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ (પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરના...
Education 
જ્યારે ઈન્ડિયન નેવીએ પાકિસ્તાનની ઈકોનોમીને તોડી નાખેલી, 12 દિવસે સેના શરણે થઈ ગયેલી

આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

બિહારથી એક એવી ઘટના સામે આવી છે, જેણે ફરી એક વખત બિહાર શિક્ષણ વ્યવસ્થાને પૂરી રીતે શરમસાર કરી દીધી...
Education 
આવા કેવા ટીચર, બાળકો ચમકાવી રહ્યા છે શિક્ષકની કાર, વીડિયો વાયરલ

અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે

આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે એવી આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. પટેલે કહ્યું કે, મે મહિનો...
Gujarat 
અંબાલાલની આગાહી, 30 એપ્રિલથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.