કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, જ્યારે બનાસકાંઠામાં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ સાથે એવી ડીલ થઇ હતી કે બનાસકાંઠામાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉતારશે અને એ વચન અમે પાળ્યું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આશા પર કોંગ્રેસ પાણી ફેરવી દીધું છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે કોઇ તારીખ જાહેર કરી નથી, પરંતુ બધી પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની જાહેરાતથી હવે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે.

શક્તિસિંહે ટ્વીટર પર કહ્યું હતું કે, પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, તે બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે . આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ સંવાદ વગર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે. રાજ્યકક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે ભૂતકાળના બધા ઈતિહાસો તપાસ્યા પછી પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે ચુંટણી લડશે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં મજબુત વિરોધપક્ષની જરૂર છે, જે ગુજરાતના હિતની વાતને ઉઠાવે. ત્યારે બંને વિધાનસભાની સીટોના મતદાતાઓને વિનંતી કરું છું કે, આપનો મત અને આશીર્વાદ કોંગ્રેસને આપી વિજય બનાવો. ૨૦૨૭ માં ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.