- Politics
- ગોપાલ ઇટાલિયા કેમ કહે છે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભો નહીં રાખી શકે, કોંગ્રેસ વિફર્યું
ગોપાલ ઇટાલિયા કેમ કહે છે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભો નહીં રાખી શકે, કોંગ્રેસ વિફર્યું

હજુ તો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઇ નથી એ પહેલાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ થોડા દિવસ પહેલાં જ વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
રવિવારે ગોપાલ ઇટાલિયાએ જનતા સાથે દિલના બંધનનો દાવો કર્યો હતો. જે તેમના પક્ષ દ્વારા એકલા ચૂંટણી લડવાના સંકેત તરીકે માનવામાં આવતું હતું. સોમવારે ઇટાલિયાએ પત્રકાર પરિષદમા કહ્યું કે, વાવ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે ડીલ થઇ હતી કે વાવમાં AAPનો ઉમેદવાર નહીં ઉભો રહે અને વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર નહીં ઉભો રહે. અમે વાવમાં વચન પાળ્યું હવે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ વચન પાળશે.
ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ઇટાલિયાના નિવેદન ફગાવી દેતા કહ્યું કે, કોંગ્રેસે આવું કોઇ વચન આપ્યું નથી. વિસાવદરની બેઠક પર પ્રદેશ કોંગ્રેસ ચર્ચા કરીને નિર્ણય લેશે.
About The Author
Related Posts
Top News
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
ધોની કેમ પાછળ રમવા આવે છે, વધુ કેમ નથી રમી શકતો? CSK કોચે આપ્યા બધા કારણો
'બંધ થતી શાળાઓ, સિસ્ટમ પર નિયંત્રણ', શિક્ષણ નીતિ પર સોનિયા ગાંધીના અનેક સવાલ
Opinion
