‘ક્રિકેટ જિંદગી નથી, પરંતુ..’, કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવે કહી દિલની વાત

On

ભારતની T20 ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તેના માટે ક્રિકેટ જિંદગી નથી, પરંતુ જિંદગીનો એક હિસ્સો છે અને આ વાત તેને આ રમતે જ શીખવી છે. સૂર્યકુમાર યાદવ આ સમયે શ્રીલંકાના પ્રવાસ પર છે જ્યાં શનિવારથી 3 મેચોની T20 સીરિઝ શરૂ થઈ રહી છે. આ સીરિઝ અગાઉ સૂર્યકુમાર યાદવે કેપ્ટન્સી અને પોતાના ક્રિકેટ કરિયરને લઈને BCCIની મીડિયા ટીમ સાથે વાત કરી. આ વાતચીતનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી છે.

આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે, ક્રિકેટે જ તેને જીવનમાં વસ્તુઓ વચ્ચે સંતુલન બનાવવાનું શીખવ્યું છે. ક્રિકેટથી જે સૌથી મહત્ત્વની વસ્તુ શીખી છે એ છે કે તમે કેટલા વિનમ્ર રહો છો. જ્યારે તમે કંઇ હાંસલ કરી લો કે સારું પ્રદર્શન કરી રહ્યા નથી. એ દરમિયાન તમે કેટલા વિનમ્ર રહો છો. આ વાત મેં આ રમતથી શીખી છે. જ્યારે તમે મેદાન પર કંઈક કરો છો તો તેને મેદાન પર જ છોડીને જવું જોઈએ. મેદાન બહાર તેને લઈ જવાનું નથી.

સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તમે ક્રિકેટના મેદાન પર જે કંઇ પણ કરી રહ્યા છો, એ તમારી જિંદગી નથી, પરંતુ જિંદગીનો હિસ્સો છે. આ તેમારું જીવન નથી, એ તમારા જીવનનો હિસ્સો છે. એટલે એવું નથી કે જ્યારે તમે સારું કરી રહ્યા નહીં હોવ તો અંડરગ્રાઉન્ડ રહેશો. આ વસ્તુ તમારે એક સ્પોર્ટસમેન તરીકે ન કરવી જોઈએ. તેનાથી મને જીવનમાં સંતુલન બનાવવામાં મદદ મળી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની શરૂઆત 27 જુલાઇથી થશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝ રમાશે. પહેલી T20 27જુલાઇ, બીજી T20 28 જુલાઇએ છેલ્લી T20 મેચ 30 જુલાઇએ રમાશે. આ બધી મેચ પલ્લેકલમાં ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે થશે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati