- Sports
- કંઈ પીચ પર રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ? કયા પ્રશ્ન પર રોહિત થયો ગુસ્સે
કંઈ પીચ પર રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ? કયા પ્રશ્ન પર રોહિત થયો ગુસ્સે

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ મંગળવારે (4 માર્ચ) દુબઈમાં રમાશે. આ સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે.
આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાને આનો ફાયદો મળી રહ્યો હોવાના આરોપો લાગ્યા છે. આ આરોપો પર કેપ્ટન રોહિત ગુસ્સે ભરાયો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ઇનકાર કર્યો છે. આ સાથે, આ સેમિફાઇનલ મેચ કઈ પીચ પર રમાશે તે અંગે પણ એક નિવેદન આપવામાં આવ્યું છે.

રોહિત શર્માએ એ ધારણાને નકારી કાઢી હતી કે, ચેમ્પિયન્સ ટ્રોફીની બધી મેચ દુબઈમાં રમવાને કારણે તેમની ટીમને ફાયદો થઈ રહ્યો છે. તેણે કહ્યું કે, આ તેનું હોમ ગ્રાઉન્ડ નથી અને આ પિચ તરફથી તેની ટીમને અલગ અલગ પડકારો મળ્યા છે.
પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું છે કે, બધી મેચો એક જ સ્થળે રમવાથી ભારતને અન્ય ટીમો કરતાં પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે અનુકૂળતા રહેવામાં મદદ મળી છે.
3/3 ✅ #TeamIndia will face Australia in the first Semi Final
— BCCI (@BCCI) March 2, 2025
Scoreboard ▶️ https://t.co/Ba4AY30p5i#NZvIND | #ChampionsTrophy pic.twitter.com/QxG9ZWeVMN
રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'દર વખતે જ્યારે પિચ એક અલગ પ્રકારનો પડકાર લઈને આવે છે. અમે અહીં ત્રણ મેચ રમ્યા છીએ અને ત્રણેય મેચમાં પિચનું સ્વરૂપ અલગ રહ્યું છે. આ અમારું હોમગ્રાઉન્ડ નથી, આ દુબઈ છે. અમે અહીં આટલી બધી મેચ રમ્યા પણ નથી. આ અમારા માટે પણ નવું છે.'

તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ પહેલા તેમની ટીમે પરિસ્થિતિઓને અનુરૂપ થવું પડશે. તેમણે કહ્યું, 'અહીં ચાર કે પાંચ પિચનો ઉપયોગ થઈ રહ્યો છે. મને ખબર નથી કે સેમિફાઇનલમાં કઈ પિચ પર રમવાનું હશે. પણ ગમે તે હોય, અમારે તેને અનુરૂપ બનવું પડશે અને તેના પર રમવું પડશે.'
ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ મેચનું ઉદાહરણ આપતા રોહિતે કહ્યું, 'અમે જોયું કે જ્યારે બોલરો બોલિંગ કરી રહ્યા હતા અને બોલ સ્વિંગ થઈ રહ્યો હતો. પહેલી બે મેચમાં આવું નહોતું થયું. છેલ્લી મેચમાં અમે જોયું કે અમને એટલી બધી સ્પિન મળી રહી નહોતી. તેથી, અલગ અલગ પીચો પર અલગ અલગ પડકારો હોય છે. અમને ખબર નથી કે પિચ કેવી હશે કે કેવી રહેશે.'
ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારત પરના દબાણને નકારી કાઢતા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, બંને ટીમો જીતવા માટે સમાન દબાણ હેઠળ હશે. 2011ના વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલ પછી ભારતે ICC નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું નથી.

રોહિતે કહ્યું, 'ઓસ્ટ્રેલિયા એક શાનદાર ટીમ છે. અમે વિરોધી ટીમને અને તેઓ કેવી રીતે રમે છે તે સમજીએ છીએ. અમે છેલ્લી ત્રણ મેચોમાં જે વલણ અપનાવ્યું છે તે વલણ સાથે જ રમવું પડશે.'
તેણે કહ્યું, 'અમે અપેક્ષા રાખીએ છીએ કે, સેમિફાઇનલ ખૂબ જ પડકારજનક હશે, પરંતુ આજકાલ તે આ રીતે રમાય છે અને તે સેમિફાઇનલ છે. બંને ટીમો પર જીતવાનું દબાણ રહેશે.' રોહિતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા તરફથી મુશ્કેલ પડકાર મળશે, પરંતુ તેની ટીમ તેનો સામનો કરવા સક્ષમ છે.
Related Posts
Top News
સુરત મેટ્રોનું કામ હવે આ વર્ષમાં પૂરું થશે, Khabarchheમાં સીરિઝ ચાલી હતી
'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ
શેરબજારના નિષ્ણાતની સલાહ આ 8 શેરો ખરીદવાથી ફાયદો થઇ શકે છે
Opinion
