શું ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ સંન્યાસ લેશે રોહિત શર્મા? વાઇસ કેપ્ટન શુભમન ગિલે કહી આ વાત કહી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ રવિવારે (9 માર્ચ) ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.  આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.  આ પહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગીલે રોહિત શર્માના સંન્યાસ પર મોટું નિવેદન આપ્યું છે.

વાસ્તવમાં, ગિલે મેચના એક દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ પછી સંન્યાસ લેશે, શું આ અંગે ડ્રેસિંગ રૂમમાં અથવા ટીમના સભ્યો વચ્ચે કોઈ ચર્ચા થઈ છે?  ગિલે આ અંગે સ્પષ્ટતા કરી છે.

Shubman-Gill-Rohit-Sharma
cricket.one

ગિલે જવાબમાં કહ્યું, 'અત્યારે તો અમારા જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  ટીમમાં આ અંગે કોઈ ચર્ચા થઈ નથી.  આ અંગે રોહિત ભાઈ જ નિર્ણય કરશે.  અત્યારે તે માત્ર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  હાલમાં, આ અંગે કોઈ ચર્ચા નથી.

મોટી મેચનું દબાણ ચોક્કસપણે રહે છે.

 શું ભારતીય ટીમ પર ફાઈનલ માટે દબાણ છે?  આના જવાબમાં ગિલે કહ્યું, 'મોટી મેચનું દબાણ જરૂર રહે છે.  પરંતુ ફાઈનલના દિવસે જે ટીમ સામાન્ય મેચની જેમ રમે છે તેના પર દબાણ નથી આવતું.  એ જ ટીમ જીતે પણ છે.  પરંતુ, આ કહેવું જેટલું સહેલું છે, કરવું એટલું જ મુશ્કેલ છે.

Shubman-Gill-Rohit-Sharma2
sudarshannews.in

ગિલે કોહલીનું નામ લેતા કહ્યું, 'અનુભવની ભૂમિકા  (મોટી મેચોમાં) હોય છે.  છેલ્લી મેચમાં વિરાટ તેનું ઉદાહરણ છે.  તેણે ઘણી ફાઈનલ રમી છે અને દબાણને સારી રીતે સંભાળ્યું છે.  તમે પેટર્ન જાણો છો અને તેથી જ તે મહત્વપૂર્ણ છે.'

ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ટોમ લૈથમ, ડેરીલ મિચેલ, વિલિયમ ઓરોર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, નાથન સ્મિથ, કેન વિલિયમ્સન, વિલ યંગ, જૈકબ અને કાઈલ જૈમીસન. 

Related Posts

Top News

PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાતમાં ભાજપની સફળતાનો પાયો ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વે નાખ્યો છે. PM મોદીની વિકાસલક્ષી...
Opinion 
PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાત સરકારના કર્મચારીઓને મજા પડી ગઈ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક...
Governance 
ગુજરાત સરકારના કર્મચારીઓને મજા પડી ગઈ, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં 12000 રૂપિયાના પગારે નોકરી કરનાર ઈડરના રતનપુર ગામના યુવકને આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેના નામે થયેલા...
Gujarat 
12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

જાન આવે એ પહેલા પાણી ખૂટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકામાં આવેલું કેલધરા ગામ 2500ની વસ્તી ધરાવે છે. ગામમાં પાણીની ટાંકી છે, પરંતુ તેમાં પાણી જ...
Gujarat 
જાન આવે એ પહેલા પાણી ખૂટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી
Copyright (c) Khabarchhe All Rights Reserved.