પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

On

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.

શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.

મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.

હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!

સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!

ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.

તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.

અગત્યનું:

સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.

હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.

જય જય સીયારામ ?

(સુદામા)

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.