પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે

On

(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.

શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.

મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.

હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!

સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!

ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.

તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.

અગત્યનું:

સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.

હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.

જય જય સીયારામ ?

(સુદામા)

Related Posts

Top News

હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર...
Sports  Festival 
હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન

નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

(ઉત્કર્ષ પટેલ) નીતિનભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં એક એવું નામ છે જે નિષ્ઠા, આખાબોલાપણું અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક...
Gujarat  Opinion 
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જ્યારે મહેનતુ લોકો રોજગારથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, ત્યારે ચોર અને...
National 
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5...
Gujarat 
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati