આવા હતા મારા રામ...

On

(Utkarsh Patel) હા મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ.

સૌએ અપાર પીડા અને દુઃખ ભોગવ્યું હતું.

અયોધ્યાનું સુખ અયોધ્યામાં જ મુકીને નીકળ્યા હતા મારા રામ. અણગમો કર્યા વિના વિનમ્ર વિવેક ભાવે સ્મિત સાથે આવકાર્યો હતો વનવાસ મારા રામે.

એક પ્રસંગ મેં સાંભળ્યો હતો એ આપને કહું...

વનવાસના શરૂઆતના સમયે એક દિવસ વનમાં માતા જાનકી અને લક્ષ્મણજી ક્રમમાં પ્રભુ શ્રી રામને પગલે એમની પાછળ ચાલ્યા જતા. માર્ગમાં આવતા કાકરા, કાંટા મારા રામના ચરણોમાં વાગતા પરંતુ રામ કાકરો કે કાંટો વાગ્યાનો દુઃખનો અનુભવ કરવા છતા શાંતિથી ચાલ્યે જતા. રક્ત વાડા કોમળ પગ આગળ વધતા અને પાછળ ચાલતા માતા જાનકી અને લક્ષ્મણજીને સુવાળો મારગ મળતો જતો!

વિરામના સમયે લક્ષ્મણજીએ પ્રભુના ચરણોને જળથી ધોયા અને ત્યારે જ માતા જાનકીએ ચિંતિત અવાજે પ્રભુ શ્રી રામને કહ્યું ‘લાવો તમારા ચરણોના કાંટા કાઢી દઉ એ તમને દુઃખ આપી રહ્યા છે’

મારા રામે માતા જાનકી અને લક્ષ્મણજીને કહ્યું ‘ તમે જેને કાંટા કહો છો તે આગલા જન્મના પાપ કર્મ ભોગવી રહેલ જીવ છે અને એમના અવગુણ સાથે હવે તેઓ મારી શરણે આવ્યા છે. જે મારી શરણે આવ્યા એને હું કઈ રીતે મારાથી દૂર કરું?!!, એમને ત્યાં જ રહેવા દો મારી પાસે. થોડો સાથ આપવા દો મને. એમના દુઃખ હું ભોગવી લઈશ પછી સમય આવ્યે તેઓ મારાથી મુક્ત થઈ સુખી થઈ જશે.‘

કંઈક આવા હતા મારા રામ.

મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ માટે હું સમજું અને વર્ણવું એટલું ઓછું છે. જીવનકાળ ઘટી પડશે મને કદાચ એમને સમજતા.

આવો ભક્તિ કરીએ મારા પ્રભુ શ્રી રામની.

જય સીયારામ

(સુદામા)

Related Posts

Top News

નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

(ઉત્કર્ષ પટેલ) નીતિનભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં એક એવું નામ છે જે નિષ્ઠા, આખાબોલાપણું અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક...
Gujarat  Opinion 
નીતિનભાઈ પટેલ: ગુજરાત ભાજપના એક આખાબોલા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પાટીદાર નેતા

મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

પ્રયાગરાજ અને વારાણસીમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન જ્યારે મહેનતુ લોકો રોજગારથી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા, ત્યારે ચોર અને...
National 
મહા કુંભનો મહાચોર પકડાયો, 60 લાખના ફોન જપ્ત કરાયા

ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5...
Gujarat 
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ...
Science 
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati