- National
- થરૂર મોદી સરકારની વિદેશ નીતિના વખાણ કરવા પર અડગ, કહ્યું- અગાઉના મારા મંતવ્યો ખોટા હતા
થરૂર મોદી સરકારની વિદેશ નીતિના વખાણ કરવા પર અડગ, કહ્યું- અગાઉના મારા મંતવ્યો ખોટા હતા

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સ્વીકાર્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની ટીકા કરતા તેમના અગાઉના મંતવ્યો ખોટા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકાર્યા પછી, કોંગ્રેસમાં જ પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા, જેના પર તેમણે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી. શશિ થરૂરે કહ્યું કે, મેં એક ભારતીય તરીકે મારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને તેમને તેમાં કોઈ રાજકારણ દેખાતું નથી. થરૂરે મંગળવારે કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતના વલણનો વિરોધ કરવો તેમના માટે શરમજનક સાબિત થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિને કારણે, દેશ હવે એવી સ્થિતિમાં છે જ્યાં તે કાયમી શાંતિ માટે ભૂમિકા ભજવી શકે છે.

જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે થરૂરે ભારતના વલણની ટીકા કરી હતી અને મોસ્કોના પગલાની નિંદા કરવાની માંગ કરી હતી. તેમણે બુધવારે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, 'મેં આ બાબતે એક ભારતીય તરીકે વાત કરી. મને આમાં કોઈ રાજકારણ દેખાતું નથી.' થરૂરે કહ્યું કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ તેમણે તેના પર વધુ વિગતવાર વાત કરી નથી. આ દરમિયાન, કેરળના BJP નેતૃત્વએ થરૂરના વલણમાં ફેરફારની પ્રશંસા કરી, અને કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની કૂટનીતિની પ્રશંસા કરવામાં તેમની પ્રામાણિકતા પ્રશંસનીય છે.
BJPના પ્રદેશ પ્રમુખ K. સુરેન્દ્રનાથે કહ્યું કે, તેઓ હંમેશા કોંગ્રેસ સાંસદની સ્પષ્ટવક્તાની પ્રશંસા કરતા આવ્યા છે. તેમણે કહ્યું કે, તિરુવનંતપુરમના સાંસદ થરૂર, PM મોદીના નેતૃત્વમાં ભારતનો વૈશ્વિક ઉદય જોઈ રહ્યા છે અને તે 'ખરેખર એક નવો દ્રષ્ટિકોણ' છે. 'X' પરની એક પોસ્ટમાં, સુરેન્દ્રને કહ્યું, 'પ્રિય શશિ થરૂર જી, મેં હંમેશા તમારી સ્પષ્ટવક્તા હોવાની પ્રશંસા કરી છે. 'મેં શરૂઆતમાં તેનો વિરોધ કર્યો હતો' એમ કહેવાની અને હવે રશિયા-યુક્રેન પર PM મોદીની કૂટનીતિની સફળતાની પ્રશંસા કરવાની તમારી પ્રામાણિકતા પ્રશંસનીય છે. તમે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનો વૈશ્વિક ઉદય જોઈ રહ્યા છો, જે ખરેખર એક નવું વિઝન છે. જોકે કોંગ્રેસના તમારા સાથીદારો આ જોઈ શકતા નથી.'

થરૂરે મંગળવારે કહ્યું હતું કે, ભારત દ્વારા અપનાવવામાં આવેલી નીતિ હેઠળ, PM નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી બંનેને ગળે લગાવી શકે છે. 'રાયસીના ડાયલોગ'ના એક સત્ર દરમિયાન, ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી થરૂરે કહ્યું, 'હું હજુ પણ શરમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે મેં ફેબ્રુઆરી 2022માં સંસદીય ચર્ચા દરમિયાન ભારતના વલણની ટીકા કરી હતી.'
Related Posts
Top News
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Opinion
-copy48.jpg)