હેર સલુન-બ્યૂટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મ્યુ.કમિશનરે જુઓ શું કહ્યુ

On

સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લેતા શહેરના મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાનીએ હેર કટિંગ અને બ્યૂટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકોને ખાસ તકેદારીના પગલાઓ લેવા બાબતે જણાવ્યું હતું કે, હેર કટિંગ અને બ્યૂટીપાર્લરના સાથે સંકળાયેલા લોકો એકની એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં ન કરે તે જરૂરી છે. કારણ કે, જો બહાર ફરતા લોકોમાં જો ચેપ લાગ્યો હોય તો દુકાનદારને ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે તેમજ દુકાનદારને ચેપ લાગ્યો હોય તો ગ્રાહકોને પણ ચેપ લાગી શકે છે. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ મહાનગર પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા એસ.ઓ.પીનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તે જરૂરી છે.

ખાસ કરીને દુકાનમાં અડધા કારીગરોથી કામ કરવુ અથવા નાની દુકાન હોય તો તેણે એક કારીગરથી તથા વારાફરતી કામ કરવુ હિતાવહ છે. હેરકટિંગના સંચાલકો અને ગ્રાહકોએ માસ્ક અને હાથના મોજા પહેરવા ફરજીયાત છે. અથવા સેનેટાઈઝ કરવા રજીયાત છે. દરેક શોપમાં સેનેટાઈઝર રાખવુ ફરજીયાત છે. જે કપડા અથવા નેપકીન વાપરવામાં આવતુ હોય તેને દર વખતે બદલવુ જરૂરી છે. ઉપયોગમાં આવતા તમામ સાધનોને દર વખતે બદલવા અને 30 મિનીટ સુધી ગરમ પાણીમાં રાખી મુકવાના રહેશે. આ તમામ નિયમોનુ પાલન નહીં કરનારને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વરાછા-એ ઝોન વિસ્તારમાં આવેલી સમરસ અને શાંતિનાથ સોસાયટીમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત લઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સોસાયટીના લોકોને કોવિડ 19ની ગાઈડલાઈન SOPનું પાલન કરવા, સામાજિક અંતર રાખવા, માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કમિશ્નરે વૈશાલી હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આ વિસ્તારના નકશા મારફતે આ વિસ્તારની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વોર રૂમનું નિરીક્ષણ કરી સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચકાસણી કરી વધુ સારી રીતે કામગીરી કરવા માટે સુચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ ન વધે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી. કમૅચારીઓને પણ ઓફિસમાં તકેદારી રાખવા તથા ફરજિયાતપણે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. મુલાકાત દરમ્યાન ખાસ ફરજ પરના આઈએએસ અધિકારી એચ. કે. લાંગા, ડે.મ્યુ.કમિશનર(હે. અને હો.) ડો. આશિષ કે. નાયક, વરાછા-એ ઝોનનાં એડી.સીટી ઈજનેર ડી.એમ.જરીવાલા અને કાર્યપાલક ઈજનેર અમીત જે. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Top News

ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5...
Gujarat 
ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ...
Science 
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ ભારત સરકારે 'લુક ઇસ્ટ'ની નીતિ રજૂ કરી...
National 
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ચૈત્રી નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માટે સમર્પિત છે. વર્ષ 2025માં...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati