ડાંગરના રોગ તથા જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતોએ શું ધ્યાન રાખવું

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ડાંગરના પાકમાં અવાર નવાર થતા રોગ-જીવાતોના સમયસર નિયંત્રણ હેતુસર જિલ્લા ખેતીવાડી શાખા,સુરત દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે અનુસાર, ડાંગરના રોગોનું સંકલિત નિયંત્રણ કરવા ડાંગરના પાનનો સુકારો રોગના નિયંત્રણ માટે ધરૂ નાખતાં પહેલા 25 કિલો બીજ માટે 24 લીટર પાણીમાં 6 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન વાળા દ્રાવણમાં 8 થી 10 કલાક બોળીને છાંયે સુકવી કોરા કરીને વાવેતર માટે ઉપયોગ કરવો, ડાંગરમાં કરમોડીનો રોગ દેખાય કે તરત જ ઉપદ્રવિત છોડને ઉખેડી નાશ કરવો, નાઇટ્રોજન ખાતરનો આપવાનો થતો હપ્તો અટકાવવો અને સુડૉમોનાસ ફ્લુરોસંસ 6 મી.લી પ્રતિ 1 લિટરનો એક છંટકાવ છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો, ડાંગરમાં ઝાળ(સુકારા)નો રોગ દેખાય તો તાત્કાલિક રોગિષ્ટ છોડને ઉખેડી નાશ કરવો, નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ બંધ કરવો અને 20 લીટર પાણીમાં 0.5 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન +10 ગ્રામ કોપર ઓક્સિકલોરાઈડ દવાના 10 થી 12 દિવસના અંતરે બે છંટકાવ કરવા, ઝાંખા દાણા/ભુખરી કંટીના રોગના નિયંત્રણ માટે કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરી 10 દિવસનાં અંતરે પ્રોપીકોનાઝોલ 25 ટકા ઈ.સી. દવા 10 મી.લી. અથવા ટ્રાયફલોકસીસ્ટ્રોબીન 25 +ટેબુકોનાઝોલ 50 (75 વેટેબલ ગ્રેન્યુલ્સ) 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો, જે વિસ્તારમાં દર વર્ષે ગલત અંગારિયો રોગ આવતો હોય તે વિસ્તારમાં ધ્વજ પર્ણદંડ અવસ્થાએ ટ્રાયફલોકસીસ્ટ્રોબીન 25 + ટેબુકોનાઝોલ 50 (75 વેટેબલ ગ્રેનુય્લસ) 4 ગ્રામ પ્રતિ 10 લિટર અથવા પ્રોપીકોનાઝોલ 25 ઈસી, 10 મી.લી. પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો અને ત્યારબાદ બીજો છંટકાવ દૂધિયા દાણા અવસ્થાએ કરવા જણાવવામાં આવ્યુ છે.

એ જ રીતે ડાંગરમાં થતી જીવાતોનાં સંકલિત નિયંત્રણ માટે વાવણી સમયે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે તેવી ડાંગરની વિવિધ જાતો જેવી કે, નર્મદા, જી. આર. 102, આઇ. આર. 22, આઈ. આર. 66, ગુર્જરી, સી. આર. 138-928, જી. આર. 12 તથા મહીસાગરની પસંદગી કરવી, ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી, ડાંગરની ચૂસીયાં (બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાં) પ્રતિકારક જાતોનું વાવેતર કરવુ, શક્ય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં ફેરરોપણી કરવાથી ડાંગરનાં પાકમાં બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડી શકાય છે, ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં બીજ નાંખ્યા બાદ 15 દિવસે 10 ગુંઠા વિસ્તારમાં 1 કિ.ગ્રા. કારટેપહાઈડ્રોક્લોરાઈડ 4 ટકા દાણાદાર દવા રેતી સાથે મિશ્ર કરી(10 મીટર ×1 મીટર માં 100 ગ્રામ દવા)નાં પ્રમાણમાં આપવી તેમજ ડાંગરની ફેરરોપણી કરતા પહેલા પાનની ટોચ તોડવાથી ટોચના ભાગમાં મુકાયેલ ડાંગરના ગાભમારાના ઇયળના ઇંડાના સમુહનો નાશ કરી શકાય છે.

વાવણી બાદ ધ્યાનમાં રાખવાની બાબતોમાં, કાર્ટેપહાઇડ્રોકલોરાઇડ 4 જીઆર (8 કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયુરાન 3 સીજી (10 કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ 4 જી (8 કિ.ગ્રા./એકર) અથવા ઇમિડાક્લોપ્રીડ 0.3 જીઆર (6 કિ.ગ્રા./એકર) અથવા ફીપ્રોનીલ 0.3 જીઆર (10 કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.4 જીઆર (4 કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.5% + થાયામેથોક્ઝામ 1% જીઆર (2.5 કિ.ગ્રા./એકર) પ્રતિ એકર પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત(પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી 30-35 દિવસે અને બીજી માવજત ત્યારબાદ 15-20 દિવસે) આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય પ્રકાશપીંજર અને નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, ક્ષમ્યમાત્રાને અનુસરી ફ્લ્યુબેન્ડીયામાઇડ 480 એસસી 3 મિ.લી.અથવા ઈન્ડોક્ઝાકાર્બ 15.8 ઈસી 10 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ 20 ઈસી 20 મિ.લી. અથવા ફીપ્રોનીલ 5 એસસી 20 મિ.લી. અથવા ક્વિનાલફોસ 25 ઈસી 20 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% ઈસી 10 મિ.લી.પૈકી ગમે તે એક કીટનાશક 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે. તેમજ ડાંગરની પાન વાળનારી ઇયળના સમયસર નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.4 જીઆર (4 કિ.ગ્રા./એકર) ખેતરમાં આપવું અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી.10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો., નાઇટ્રોજનયુકત રસાયણિક ખાતરોનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવાથી ચુસિયાં જીવાતોનો ઉપદ્રવ ઘટે છે. અને ચૂસીયાંનો ઉપદ્રવ જોતા જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું. ડાંગરના ગાભમારાની ઇયળ માટે ભલામણ કરેલ કોઇપણ એક કીટનાશકનો ઉપયોગ કરવાથી ચૂસીયાનું પણ નિયંત્રણ થાય છે. જો ચુસિયાં જીવાતોનો ઉપદ્રવ એકાએક વધી ગયેલો જણાય તો ક્લોથીયાનીડીન 50 ડબલ્યુજી 5 ગ્રામ અથવા ફ્લોનીકામાઈડ 50 ડબલ્યુજી 3 ગ્રામ અથવા ઈથીપ્રોલ 40% + ઈમીડાક્લોપ્રીડ 40 ડબલ્યુજી 3 ગ્રામ અથવા ડાઈનોટેફ્યુરાન 20 એસજી 3 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમજ ફેરરોપણી પછી 40 દિવસ બાદ ચુસિયાં પ્રકારની જીવાત માટે ઈમીડાકલોપ્રિડ 17.8 એસ.એલ. 3 મી.લી. અથવા ફેન્બ્યુકાર્બ 50 વે.પા. 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.