રાજ્યના ખેડૂતને ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ: મંત્રી

રાજ્યના ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવામાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે અને ખેતીવાડી ખાતા દ્વારા ઉત્પાદકો તથા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે તથા લે ભાગુ તત્વો દ્વારા ખેડૂતોને અનઅધિકૃત કે હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વેચાણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે તા.30 અને 31 મે-2023 દરમિયાન ખેતીવાડી ખાતા દ્વારા રાજ્ય કક્ષાએથી ખાસ 33 સ્કોર્ડની રચના કરી 102 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા ઉત્પાદન કરતા એકમો અને 2,394 વિક્રેતાઓને ત્યાં ગુણવત્તા નિયંત્રણ સબંધિત તમામ બાબતોની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન વિવિધ 549 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ 621 જેટલા ઉત્પાદકો/ વિક્રેતાઓને નોટીસ આપી અંદાજીત 836 લાખની વેચાણ કિંમતનો ખાતરનો 1,185 મે.ટન, જંતુનાશક દવાનો 10,417 કિગ્રા/લિટર તથા બિયારણનો 2,68,797 કિગ્રા જથ્થો અટકાવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન સબસીડાઇઝ ખાતરના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા ઔદ્યોગિક એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી. તદુપરાંત રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ ખાતરનો સ્ટોક તથા પી.ઓ.એસ મશીનમાં ઉપલબ્ધ સ્ટોકનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું અને જ્યાં વિસંગતતા જણાયેલ તેઓને નોટિસ આપવામાં આવી.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે ખેડૂત સમાજ અને કૃષિના હિતમાં કોઈ બાંધછોડ ન કરવા અને કડક કાર્યવાહી કરવા કટીબદ્ધ છે. વધુમાં, અનઅધિકૃત પ્રકારનાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન, પ્રોસેસીંગ, પેકીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા રાજ્યનાં ખેડૂતોને નમ્ર અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.