શું હવે નહીં થાય ખાનગીકરણ? શું છે મોદી સરકારનો પ્લાન?

On

જે સરકારી કર્મચારી મોદી સરકારને ખાનગીકરણને પ્રોત્સાહન આપનારી પોલિસીઓથી ડરી રહ્યા હતા, તેમના માટે રાહતના સમાચાર છે. ભારત સરકાર 200 કરતા વધુ સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવાની યોજનાઓ બનાવી રહી છે, જેથી તેમને વધુ લાભદાયક બનાવી શકાય. તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્રેસીવ પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામથી અલગ એક નવા વલણના સંકેત મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં સરકારી અધિકારીઓના સંદર્ભે આ જાણકારી આપી છે.

વર્ષ 2021માં ભારતના 600 બિલિયન ડૉલરના વિશાળ સરકારી ક્ષેત્રના એક મોટા હિસ્સાના ખાનગીકરણ કાર્યક્રમની જાહેરાત થઇ હતી, પરંતુ સામાન્ય ચૂંટણી અગાઉ આ પ્રોગ્રામ ધીમો થઇ ગયો હતો અને હવે ગઠબંધનની સરકાર આવ્યા બાદ ખાનગીકરણ પ્રોગ્રામને હજુ વધારે પ્રતિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 23 જુલાઇએ રજૂ થનારા બજેટમાં નવી યોજના આવી શકે છે. તેમાં આ કંપનીઓના સ્વામીત્વવાળી એ જમીન જેનો ઉપયોગ ન બરાબર થઇ રહ્યો છે તેને વેચવી અને બીજા એસેટ્સનું મોનેટાઇઝેશન સામેલ છે.

રિપોર્ટમાં પોલિસીની જાણકારી રાખનારા 2 અધિકારીઓએ આ વાત કહી છે. તેની પાછળ સરકારનું ઉદ્દેશ્ય આ નાણાકીય વર્ષમાં 24 અબજ ડૉલર એકત્ર કરવાનું છે અને એ પૈસાઓને એ કંપનીઓમાં રી-ઇન્વેસ્ટ કરવાનું છે. સાથે જ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સની જગ્યાએ દરેક કંપની માટે 5 વર્ષના પરફોર્મન્સ અને પ્રોડક્શન ટાર્ગેટ નક્કી કરવામાં આવશે. સરાકરી કંપનીઓની સ્થિતિ સુધારવા બાબતે આ અગાઉ વાત થઇ નહોતી.

રિપોર્ટમાં નામ ન બતાવવાની શરત પર એક અધિકારીએ કહ્યું કે, સરકારી કંપનીઓની આડેધડ વેચાણની જગ્યાએ હવે સરકારી કંપનીઓના આંતરિક મૂલ્યોને વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અન્ય યોજનાઓ સિવાય સરકાર વધારે સરકારીઓ કંપનીઓમાં સક્સેશન પ્લાનિંગ કરવાનો ઇરાદો રાખે છે. સાથે જ 2 લાખ 30 હજાર મેનેજર્સને કંપનીઓમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે તાલીમ આપવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. વર્તમાનમાં સરકારી કંપનીઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂક સરકાર જ કરે છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati