PM આવાસ માટે આ તારીખ સુધી જાતે ઓનલાઈન અરજી કરી શકો છો, જાણો કોને લાભ નહીં મળે

On

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2.0 માટે સર્વે આખરે શરૂ થઈ ગયો છે. આર્થિક રીતે નબળા વર્ગોને ઘર આપવાના હેતુથી PM આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા સર્વેક્ષણનો ઉદ્દેશ્ય 2024-25થી 2028-29 દરમિયાન યોજનાના પાત્ર પરિવારોને પાકા મકાનો પૂરા પાડવાનો છે. હવે મધ્યપ્રદેશમાં આ યોજના માટે નવા લોકો 31 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે PM આવાસ યોજના માટે અરજી મોબાઈલ એપ દ્વારા પણ કરી શકાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, સર્વે ગ્રામ પંચાયતના સચિવ અથવા રોજગાર સહાયક દ્વારા કરવામાં આવે છે. આવા અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારો જેમની પાસે ઘર નથી તેમને PM આવાસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના બીજા તબક્કામાં, મધ્યપ્રદેશના પાત્ર પરિવારોને પાકા મકાનો મળશે. જેમ અમે તમને કહ્યું હતું, 31 માર્ચ, 2025 સુધીમાં, પાત્ર પરિવારોના નામ કાયમી પ્રતીક્ષા યાદીમાં ઉમેરવામાં આવશે. આ સર્વે માટે આવાસ પ્લસ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

સૌથી સારી વાત એ છે કે, લોકો પોતાના મોબાઈલથી પણ પીએમ આવાસ યોજના માટે અરજી કરી શકે છે. રાષ્ટ્રીય માહિતી કેન્દ્રએ એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી પાંચ વર્ષમાં આ યોજના હેઠળ પાત્ર પરિવારોને પાકા ઘરો આપવામાં આવશે. સર્વેક્ષણ કાર્ય 31 માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી 2024-25થી 2028-29 સુધી મંજૂરી મળી ગઈ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે જરૂરી શરતો પૂર્ણ કરતા પાત્ર વ્યક્તિઓ તેમના મોબાઇલ પરથી પોતે (PM આવાસ યોજના ઓનલાઈન અરજી) અરજી કરી શકે છે.

લાભાર્થીએ પોતાના સ્માર્ટફોન પર આવાસ પ્લસ-2024 સર્વે અને આધાર ફેસ ID એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રહેશે.

એક મોબાઇલ ફોનથી ફક્ત એક જ સર્વે કરી શકાય છે. સર્વેક્ષણ માટે લાભાર્થીનો આધાર નંબર જરૂરી છે.

જેમ અમે તમને બતાવ્યું હતું કે, PM આવાસ યોજનામાં બેઘર અનુસૂચિત જાતિ અને જનજાતિ પરિવારોને પ્રાથમિકતા મળશે. એટલે કે, જેમની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, તેમને પાકા ઘર બનાવીને યોગ્ય આવાસ આપવામાં આવશે. ત્યાર પછી અન્ય લાભાર્થીઓને ઘર મળશે.

અરજી કરવાના નિયમો શું છે: જો કોઈપણ ખેડૂતની KCC મર્યાદા 50 હજારથી વધુ હોય તો તે યોજનાના લાભો માટે અયોગ્ય શ્રેણીમાં આવશે.

જિલ્લામાં બેઘર અને કાચાં મકાનોમાં રહેતા પાત્ર પરિવારોના નામ સર્વેમાં ઉમેરવાના છે. આ ઉપરાંત, જે ગ્રામજનો પાસે પાકા મકાનો અને ત્રણ પૈડા કે ચાર પૈડાવાળા વાહનો છે, તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

જેમની પાસે મશીનો સાથે ત્રણ પૈડા અને ચાર પૈડાવાળા કૃષિ સાધનો છે, તેઓ પણ PM આવાસ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

જેમની પાસે અઢી એકર સિંચાઈવાળી જમીન છે, તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

અઢી એકર કે તેથી વધુ સિંચાઈવાળી જમીન અને 11.5 એકર કે તેથી વધુ બિન-સિંચાઈવાળી જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

આ ઉપરાંત, જો પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય અથવા બિન-કૃષિ વ્યવસાય ધરાવતો પરિવાર હોય તો પણ આવાસ યોજનાના લાભથી વંચિત રહેશે.

જે લોકો આવકવેરો અને વ્યવસાય કર ચૂકવે છે, તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati