2020 સુધીમાં સચિવાલય ‘ખાલીખમ’, 78000 કર્મચારી નિવૃત્ત

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં શિથિલતા આવી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સચિવાલયમાં સિનિયર ઓફિસરોની કમી વર્તાઇ રહી છે. એક સમય હતો જ્યારે સચિવાલય સિનિયર ઓફિસરોથી હર્યુભર્યું રહેતું હતું. લોકોના કામો ઝડપથી થતાં હતા. સરકારી યોજનાઓનું સમયસર અમલીકરણ થતું હતું, આજે સ્થિતિ અલગ છે. આજે લોકોના કામોમાં વિલંબ થઇ રહ્યો છે. સરકારી પ્રોજેક્ટના કામો મંદ ગતિએ ચાલે છે. વહીવટમાં ફાઇલની મુવમેન્ટ ધીમી પડી છે.

આમ થવાનું કારણ મુખ્યમંત્રીની ઇચ્છાશક્તિ નથી તેવું નથી. મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ તો કામ કરે છે પરંતુ વહીવટી તંત્રમાં સિનિયર ઓફિસરોની ગેરહાજરી સાલે છે. સરકારમાં ઉત્તમ વહીવટ આપવો હોય તો સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરવી પડે છે. પ્રમોશનથી ખાલી પડેલી જગ્યાઓ કરતાં હવે નિવૃત્તિના કારણે ખાલી પડતી જગ્યાઓની સંખ્યા 400 ટકા થઇ છે. એટલે કે સચિવાલય એ મુકામ પર આવીને ઉભું છે કે જ્યાં નિવૃતિકાળ શરૂ થયો છે.

આ નિવૃત્તિ કાળ 2010 પછી શરૂ થયો છે. પ્રતિવર્ષ એવરેજ 17000 કર્મચારીઓ નિવૃત્ત થાય છે. છેલ્લા છ વર્ષમાં 50 સનદી અધિકારીઓ નિવૃત્ત થયાં છે. સરકારી કર્મચારીઓની સંખ્યા તો એક લાખે પહોંચી છે. એક તબક્કો હતો જ્યારે સરકારી નોકરી માટે સામેથી કોલ લેટર ઘરે આવતા હતા. સરકારી નોકરી જોઇન્ટ કરો અને જીંદગી બનાવો.. એ સરકારનું સૂત્ર હતું, પરિણામે લાખો યુવાનો જે તે સમયે નોકરીમાં જોડાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી આ યુવાનો નોકરીમાંથી નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સંખ્યા હજારોમાં છે.

માર્ચ-2016ના અંતે છેલ્લા એક વર્ષમાં સરકારી નોકરીમાંથી 18872 કર્મચારીઓ નિવૃત્ત થઇ ચૂક્યાં છે. 2016-17માં બીજા 18612 કર્મચારીઓ નિવૃત્ત થયાં છે. આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિ પાંચ વર્ષ પહેલાં ક્યારેય જોવા મળી નથી. આવનારા ચાર વર્ષમાં (2017 થી 2020) સરકારી નોકરીમાં કુલ 78074 જગ્યાઓ ખાલી પડવાની છે. આટલી મોટી સંખ્યામાં સરકારી નોકરી ખાલી પડી હોય તેવી ઘટનાઓ હાલના વર્ષોમાં જોવા મળે છે.

સરકારમાં એક પરંપરા રહી છે કે ખાલી પડેલી જગ્યા પ્રમોશનથી ભરવામાં આવે છે અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવે છે. એ ઉપરાંત સરકારમાં પ્રતિનિયુક્તિની પદ્ધતિ પણ રહી છે. જેટલી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેટલી સંખ્યામાં નવી ભરતી થતી નથી. આપણી સરકારી ભરતી કરનારા બોર્ડને વિભાગોની યાદી પણ સમયસર મળતી નથી. તાજેતરમાં જ સરકારે ફરી એકવાર પરિપત્ર કર્યો છે કે સચિવાલયના વિભાગો તેમજ જિલ્લાની સરકારી કચેરીઓના વડા તરફથી વિભાગમાં ખાલી પડેલી જગ્યાની વિગતો આપવી, એટલું જ નહીં, આવનારા પાંચ વર્ષમાં કેટલા કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેની વિગતો પણ આપવાની રહેશે.

સરકાર એવો દાવો કરે છે કે છેલ્લા બે વર્ષમાં અમે 60 હજાર કર્મચારીઓની સરકારી નોકરીમાં ભરતી કરી છે પરંતુ આટલી મોટી સંખ્યામાં ભરતી છતાં વિભાગોમાં ખાલી જગ્યાઓનું પ્રમાણ એટલું જ છે અને પ્રતિ વર્ષ વધતું જાય છે. સરકારમાં હવે મોટાભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે અને તેમની પાસે નોકરીનો અનુભવ નથી તેથી સરકારી ફાઇલોમાં ઝડપ આવી શકતી નથી.

ફાઇલમાં નોટીંગ શું કરવું તેની સમજ પડતી નથી, તેથી સરકાર વિભાગોમાં મહત્વના અધિકારીઓને વય નિવૃત્તિ પછી ફીક્સ પગારે પુનનિયુક્તિ પર રાખે છે. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં સરકારે ગુડ ગવર્નન્સ આપવું હોય તો ખાલી જગ્યાઓ ભરીને સિનિયર અધિકારીઓ નિવૃત્ત થાય તે પહેલાં સેકન્ડ કેડર ઉભી કરાવવી જોઇએ. હાલ સ્થિતિ એવી છે કે ગુજરાત સરકાર પાસે બીલ કે કાયદો બનાવી શકે તેવા લિગલ ઓફિસરોની સૌથી મોટી અછત છે.’

About The Author

Related Posts

Top News

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, એક મોટો અપડેટ સામે આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના...
Sports 
ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો...
Politics 
દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે

ગુરુવારે મીડિયા સાથે વાત કરતા, સહારનપુર લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના સાંસદ, ઇમરાન મસૂદે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં BJPને...
National 
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.