પહેલા નોરતે રાજકોટમાં લોકો ઘરમાં ગરબે ઘૂમ્યા, જુઓ તસવીરો

On

રાજ્યમાં શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર લોકોને માતાજીની પૂજા-અર્ચના કરવા માટે એક કલાક 200 લોકોની મર્યાદામાં એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. તેવા સમયે રાજકોટના એક પરિવાર ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ પોતાના ઘરમાં જ માતાજીના ગરબા કર્યા હતા. અને લોકોને પણ ઘરની બહાર નહીં નીકળી ઘરમાં જ આ પ્રકારે ગરબા કરીને કોરોનાથી સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટ હનુમાન મઢી ચોક પાસે આવેલ તિરૂપતિ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં જ માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ પરિવારના સભ્યો ટ્રેડિશનલ પહેરીને માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરી ગરબે રમ્યા હતા. આમ પરિવારના સભ્યોએ ગરબે ઘૂમી પહેલા નોરતાની ઉજવણી કરી હતી.

તો બીજી તરફ રાજકોટના સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર આવેલ ઇન્દ્રલોક બંગ્લોઝમાં પણ સ્થાનિક લોકોએ જવારા વાવીને માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરી એક કલાક સુધી ગરબે રમ્યા હતા. આ પરિવારે પણ પોતાના ઘરમાં જ માતાજીના ગરબાની સ્થાપના કરી હતી અને પરિવારના 6થી 7 લોકોએ ગરબા કરીને નવરાત્રીનું પહેલું નોરતું ઉજવ્યુ હતું.

આ સમગ્ર મામલે પરિવારના પારૂલબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમે માતાજીના ગરબાની સ્થાપના ઘરમાં જ કરી છે. સોસાયટીઓમાં ગરબાના આયોજનની મનાઇ છે. જેથી કરી અમે ગરબાનું આયોજન ઘરમાં જ કર્યું છે અને પરિવારના સભ્યો ઘરમાં ગરબા કરીએ છીએ. અમે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે, તમે લોકો ઘરમાં જ ગરબા કરી શકો છો અને ગરબા કરતા સમયે વ્યવસ્થિત રીતે સેનિટાઇઝ થઇ, માસ્ક પહેરીને ઘરમાં જ ગરબા કરો.

આ ઉપરાંત રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક એપાર્ટમેન્ટમાં મહિલાઓએ ટીવીમાં ગરબા વગાડીને પોતાના ફ્લેટમાં જ ગરબે ઘૂમી હતી.

ઘરમાં પરિવારની સાથે ગરબાનું આયોજન કરનાર રાહુલ મકવાણા નામના યુવકે જણાવ્યું હતું કે, અમે ઘરની અંદર માતાજીનું સ્થાપન કર્યું છે અને પરિવારના સભ્યો ઘરની અંદર જ ઘરમાં ગરબા કરીએ છીએ. અમે કૌટુંબીક ભાઇ-બહેનનો અને ફઈના દીકરાઓએ સાથે મળી ઘરની અંદર ગરબાનું આયોજન કર્યું છે. લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે, ઘરની બહાર જવાનું ટાળે અને પોતાના ઘરે જ ગરબાનું આયોજન કરે જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ શકે.

મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકારે લોકોને જાહેર રસ્તાઓ પર કે, સોસાયટીઓમાં ગરબા નહીં કરવાની અપીલ કરી છે. જેથી કરીને લોકો પોતાના મનપસંદ તહેવાર નવરાત્રીની ઉજવણી પોતાના ઘરમાં જ ગરબા લઈને કરી રહ્યા છે. આ ઉપરાંત કલાકારો પણ વર્ચ્યુઅલ ગરબા કરીને લોકોને ઉત્સાહ પૂરો પાડી રહ્યા છે.

Related Posts

Top News

યુરોપિયન દેશોની ઈમરજન્સી બેઠકમાં શું થયું? શું અમેરિકા વગર આ દેશો કંઈ કરી શકે?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી અને અમેરિકી રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વ્હાઇટ હાઉસમાં જે થયું,  આનાથી વૈશ્વિક સ્તરે એક નવા પ્રકારનો તણાવ વધ્યો...
World 
યુરોપિયન દેશોની ઈમરજન્સી બેઠકમાં શું થયું? શું અમેરિકા વગર આ દેશો કંઈ કરી શકે?

'બધા તેને જ લાડ લડાવતા હતા', 13 વર્ષના ભાઈએ 6 વર્ષની માસુમ બહેનનો જીવ લઈ લીધો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક 13 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી છે. તેના પર એવો આરોપ છે કે, તેણે તેની ...
National 
'બધા તેને જ લાડ લડાવતા હતા', 13 વર્ષના ભાઈએ 6 વર્ષની માસુમ બહેનનો જીવ લઈ લીધો

રહસ્યમય બોલનો માસ્ટર વરુણ ચક્રવર્તી... હરભજને જણાવ્યું શું છે તેની બોલિંગમાં ખાસ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2O25માં ન્યુઝીલેન્ડ સામે રહસ્યમય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વરુણની...
Sports 
રહસ્યમય બોલનો માસ્ટર વરુણ ચક્રવર્તી... હરભજને જણાવ્યું શું છે તેની બોલિંગમાં ખાસ

શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?

ભાજપ ગુજરાતને રાજકીય લેબોરેટરી સમજે છે અને કોઇ પણ રાજકીય પ્રયોગો કરવા હોય તો ગુજરાત સૌથી  સલામત રાજ્ય છે. ગુજરાતના...
Politics 
શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati