દીકરીના જન્મ પહેલા એક IITianએ લાખોની નોકરી છોડી, કહ્યું દીકરીની સંભાળ વધુ જરૂરી

સામાન્ય રીતે પોતાના દેશમાં પિતા બન્યા બાદ લોકોને 10થી 12 દિવસની રજા મળે છે. ત્યાર બાદ બાળક લગભગ બધી જવાબદારી માતા પર આવી જાય છે. પણ એક પિતાએ પોતાના બાળકની સંભાળ કરવા માટે લાખો રૂપિયાની નોકરી છોડી દીધી. તે ચાહે છે કે, નાની છોકરી સાથે તે વધારે સમય વિતાવી શકે. તેના અનુસાર, આ એક રીતે તેના કરિયરનું પ્રમોશન જ છે. આ વધી વસ્તુઓ તમને થોડી અટપટી લાગી રહી હશે. પણ આ વાત સાચી છે.

IIT ખડગપુરમાંથી ભણેલા અંકિત જોશીએ કહ્યું કે, તેણે પોતાની નવજાત દીકરીની સાથે સમય વિતાવવા માટે પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી છે. તે એક કંપનીનો સીનિયર વાઇસ પ્રસિડન્ટ હતો. એક મીડિયા ઇન્ટર્વ્યુમાં પોતાના નિર્ણય વિશે અંકિત જોશીએ કહ્યું કે, દીકરીના જન્મના થોડા દિવસ પહેલા, મેં પોતાની હાઇ સેલેરી જોબ છોડી દીધી છે. મને ખબર છે કે, આ એક અજીબ નિર્ણય હતો. લોકોએ તેને ચેતવણી આપી હતી કે, આગળ વધુ મુશ્કેલીઓ આવશે., પણ મારી પત્નીએ નિર્ણયનું સમર્થન કર્યું.

 
 
 
View this post on Instagram

A post shared by Humans of Bombay (@officialhumansofbombay)

અંકિત જોશીએ સમજ્યું કે, એક કંપનીમાં સીનિયર વોઇસ પ્રેસિડન્ટના રૂપમાં, તેની નોકરી માટે તેણે વારે વારે યાત્રા કરવી પડતી હતી. કંઇક એવું કે જે પોતાની દીકરી સ્પીતિના જન્મ બાદ કરવા માટે તૈયાર ન હતો. તેણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, મારી દીકરીના દુનિયામાં આવવા પહેલા જે, મને ખબર હતી કે, હું પોતાનો બધો સમય તેની સાથે જ વિતાવવા માગતો હતો, મારા સપ્તાહ ભરના પિતૃત્વ અવકાશથી વધારે. મને ખબર હતી કે, આ મુશ્કેલ હશે. મેં થોડા મહિના પહેલા જ વિરષ્ઠ ઉપાધ્યક્ષના રૂપમાં એક નવું કામ શરૂ કર્યું હતું.

એ જાણતા કે, તેની કંપની તેના સપ્તાહ ભરના પિતૃત્વ અવકાશનો વિસ્તાર ન કરી શકશે, જોશીએ પોતાની ભૂમિકાથી રાજીનામું આપવાનું નક્કી કર્યું. પોતાની નોકરી છોડ્યા બાદથી, જોશીએ પોતાનો સમય સ્પીતિની સંભાળમાં લગાવી દીધો. દીકરીનું નામ આવું એટલા માટે રાખ્યું કે, તેણે અને તેની પત્નિએ સ્પીતિ ઘાટીની યાત્રા દરમિયાન નિર્ણય લીધો હતો કે, તેઓ પોતાની દીકરીનું નામ આ શાનદાર જગ્યાના નામ પર રાખશે.

જોશીનું કહેવું છે કે, તે થોડા મહિના બાદ નવી નોકરી શોધી લેશે. આ દરમિયાન તે પોતાની દીકરી સાથે સમય વિતાવવાની યોજના બનાવી રહ્યો છે. તેણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, નાનો પિતૃત્વ અવકાશએ નિશ્ચત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે કે, માતાઓ પિતાની તુલનામાં વધારે પિતૃત્વ કર્તવ્યોનું નિર્વાહ કરે છે. તેમણે કહ્યું કે, મને એ જોઇને નિરાશા હોય છે કે, કેવીરીતે અધિકાંશ કંપનીઓ એક મહત્વપૂર્ણ, લગભગ ના બરાબર પિતૃત્વ અવકાશ આપે છે. આ ફક્ત એક વખત નથી કે, પિતા બાળક સાથે કેટલું ઓછું જોડાય છે, પણ સંભાળની ભૂમિકામાં પિતાની જવાબદારીને ઓછી કરવા વિશે આ વાત છે.

તેણે આગળ કહ્યું કે, મેં જે પગલું લીધું છે તે સરળ નથી. ઘણા પુરુષો આમ ન કરી શકે. પણ મને આશા છે કે, આવનારા વર્ષોમાં પરિસ્થિત બદલાશે કારણ કે, પાછલા 1 મહિનામાં મેં જે જીવન જીવ્યું છે તે અન્ય દરેક વસ્તુની સરખામણીમાં વધારે સંતોષજનક છે.

Related Posts

Top News

આસારામને જામીન તો મળ્યા, પણ એક જજ સમર્થનમાં હતા, બીજા વિરુદ્ધમાં હતા પછી...

આસારામને સુરત દુષ્કર્મ કેસમાં આખરે ગુજરાત હાઇકોર્ટમાંથી 3 મહિનાના હંગામી જામીન મળી ગયા છે. આસારામના વકીલે 6 મહિનાનાન જામીન માંગ્યા...
Gujarat 
આસારામને જામીન તો મળ્યા, પણ એક જજ સમર્થનમાં હતા, બીજા વિરુદ્ધમાં હતા પછી...

રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા...
Gujarat 
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-03-2025દિવસ: શનિવાર  મેષ: આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરવાનો રહેશે. તમે બિઝનેસ ટ્રિપ પર જવાની પણ યોજના બનાવશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ દરમિયાન CM મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શનો અને 'ગો અવે' જેવા નારાઓનો સામનો કરવો...
National 
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.