સબરીમાલા મંદિરમાં અવ્યવસ્થાઓને લઈને શું છે હોબાળો? સમજો આરોપ અને સ્પષ્ટતા

On

સબરીમાલા મંદિરમાં કથિત અવ્યવસ્થાઓને લઈને કેરળમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. હાલમાં જ ભીડના કારણે 11 વર્ષીય છોકરીનું મોત થઈ ગયું હતું, ત્યારબાદ તણાવ હજુ વધી ગયો. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દા પર સત્તાધારી વિજયન સરકાર પર પ્રહાર કરી રહી છે અને અવ્યવસ્થાઓ માટે જવાબદાર બતાવી રહી છે. સબરીમાલામાં મંડલમ મકરવિલક્કૂની સીઝન ચાલી રહી છે.

આ દરમિયાન કેરળ જ નહીં આસપાસના રાજ્યોથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચે છે. 17 નવેમ્બરથી શરૂ થયેલી આ સીઝનમાં સબરીમાલા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી. રોજ લગભગ 1.20 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચી રહ્યા છે. એવામાં મંદિરમાં લાંબી લાંબી લાઈનો લાગેલી રહે છે. ભક્તોને દર્શન માટે 18-18 કલાક સુધીની રાહ જોવી પડે છે. મંદિરમાં ભીડને કાબૂ કરવા માટે પ્રશાસનની તમામ વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ રહી છે. કેટલીક વખત ભક્ત પોલીસ દ્વારા લગાવાયેલા બેરિકેડ તોડી રહ્યા છે એવામાં અફરાતફરી જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે.

બીજી તરફ મુખ્યમંત્રી પિનારાઇ વિજયને અધિકારીઓને સ્થિતિને પહોંચીવળવા માટે તમામ પગલાં ઉઠાવવાના આદેશ આપ્યા છે. તેમાં ઓનલાઇન બુકિંગ ઓછી કરવા અને દર્શનનો સમય એક કલાક વધારવા જેવા પગલાં સામેલ છે. કેરળની સત્તાધારી પાર્ટી આ સમયે ભાજપ સાથે સાથે કોંગ્રેસના પણ નિશાના પર છે. બંનેનું કહેવું છે કે પિનારાઈ વિજયનની સરકાર સબરીમાલામાં શ્રદ્ધાળુઓની ભીડને મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. તેના માટે બંને પાર્ટીઓએ રાજ્યના દેવાસ્વોમ મંત્રી રાધાકૃષ્ણનને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપ કેરળમાં વિજયન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે.

કેરળ ભાજપ નેતા કુમ્મનમ રાજશેખરને સબરીમાલા પાર્કિંગ મેદાનની મુલાકાત અને શ્રદ્ધાળુઓની સુવિધાની જાણકારી લીધી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું કે, સ્થિતિને કાબૂ કરવા માટે સબરીમાલામાં 16,118 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિજયને સબરીમાલા મુદ્દા પર કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માગ કરતા મંગળવારે સંસદ સામે વિપક્ષી UDF સાંસદોના વિરોધ પ્રદર્શનની પણ નિંદા કરી. તેમણે UDF સાંસદોને રાજનીતિક લાભ માટે ભગવાન અયપ્પા મંદિરનો ઉપયોગ ન કરવાની અપીલ કરી.

Related Posts

Top News

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

વકફ બિલને લઈને રસ્તાઓ પર લડાઈ શરૂ થઈ ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને વક્ફ...
National 
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી

ગુજરાત અને નવરાત્રી એક બીજાના પર્યાય છે. ‘જ્યા જ્યા ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી!’ અને હવે, એ પરંપરાને એક નવો રંગ,...
Gujarat 
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.