તિરુપતિ બાલાજીના સૌથી શક્તિશાળી પરંપરાગત 4 પુજારી પરિવારને જાણો કેટલો પગાર મળે

On

સદીઓથી, તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરનું ધાર્મિક સંચાલન ચાર પૂજારી પરિવારો દ્વારા કરવામાં આવે છે. તેઓ તિરુમથી મંદિરના 4 શક્તિશાળી પરિવારો તરીકે ઓળખાય છે. વહેલી સવારથી સાંજ સુધી મંદિરમાં થતી ધાર્મિક વિધિ આ પરિવારના લોકો દ્વારા જ કરવામાં આવે છે. જો કે આ મંદિરમાં કુલ 58 પૂજારીનો સ્ટાફ છે, પરંતુ પારિવારિક પરંપરાથી અહીં 23 પૂજારીની નિમણૂક કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ પુજારી પરિવાર પોતે ખૂબ જ સમૃદ્ધ છે અને એક પ્રકારનો દબદબો ધરાવે છે.

આ ચાર પુજારી પરિવારોના નામ છે- પૈડીપલ્લી, ગોલ્લાપલ્લી, પેડ્ડિંતી અને તિરુપતમ્મા. આ પરિવારો પેઢીઓથી તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ધાર્મિક વિધિઓ કરે છે. આ ચાર પરિવારોના 23 પૂજારીઓનો દબદબો સમગ્ર તિરુપતિમાં ચાલતો હોય છે. તેઓ અહીં ભવ્યતાથી અહીં રહે છે. જો કે, આગળ વધતા પહેલા, ચાલો તમને મંદિર વિશે આ ખાસ માહિતી આપી દઈએ.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસે તમામ કાર્યો માટે કુલ 16,000 લોકોનો સ્ટાફ છે.

મંદિરમાં ચાર વારસાગત પૂજારી પરિવારોમાંથી 23 પૂજારીઓ છે, મંદિરની વાસ્તવિક ધાર્મિક શક્તિ તેમના હાથમાં છે.

મંદિરમાં 35 બિન વારસાગત પૂજારીઓ છે.

મંદિરના મુખ્ય પૂજારી વંશપરંપરાગત હોય છે અને તેમને પ્રધાન અર્ચક કહેવામાં આવે છે, તેમનો માસિક પગાર અન્ય સુવિધાઓ સાથે 82000 રૂપિયાની આસપાસ છે.

બીજા મુખ્ય પુજારીઓ પણ વારસાગત જ હોય છે, અને ભથ્થાં સિવાય તેઓ રૂ. 52,000નો માસિક પગાર મેળવે છે, જોકે ભથ્થાની ચોક્કસ રકમ જાહેર કરવામાં આવી નથી.

બિન-વારસાગત પુજારીઓનો પગાર અનુભવના આધારે રૂ. 30,000થી રૂ. 60,000 સુધીનો હોય છે.

કેટલાક વારસાગત પુજારીઓને તેમની સેવાઓ માટે એકવાર મોટી રકમ ચૂકવવામાં આવે છે, જેમ કે રામન્ના દીક્ષિતુલુને તેમની સેવાઓના બદલામાં 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

બધા પુજારીઓને રહેવા માટે મકાનો મળે છે. જોકે આ માટે કોઈ નિયમ નથી.

પગાર ઉપરાંત તમામ પૂજારીઓને અનેક પ્રકારના ભથ્થાં મળે છે પરંતુ તેના વિશે નક્કર માહિતી ઉપલબ્ધ નથી.

TTD તમામ પાદરીઓ અને તેમના પરિવારોના આરોગ્ય ખર્ચને ઉઠાવે છે, જો કે TTDની પોતાની અત્યંત આધુનિક હોસ્પિટલ પણ છે.

તમામ પૂજારીઓને પણ રજા મળે છે. પરંતુ આ કોઈ નિયમ નથી.

બધા પુજારીઓ એક નિશ્ચિત ઉમર પછી નિવૃત્ત થાય છે. પછી તેઓ નિવૃત્તિ લાભ મેળવે છે. નિવૃત્તિ યોજના અહીં 2018થી લાગુ કરવામાં આવી છે. એક પુજારી 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. જોકે, આ મામલો કોર્ટમાં ગયો ત્યારે રાજ્ય સરકારે તેને પાછો ખેંચી લીધો હતો. કારણ કે, વારસાગત પુજારીઓ દલીલ કરે છે કે તેમનું આ પદ આજીવન છે, તેથી નિવૃત્તિની કોઈ ઉંમર નથી. પરંતુ આ સુવિધા બિન વારસાગત પૂજારીઓ માટે ઉપલબ્ધ નથી. જો કે આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

દરેક પૂજારી પોતાના પરિવારને અથવા અમુક લોકોને પોતાના ક્વોટા પર VIP સુવિધા સાથે મંદિરમાં દર્શન માટે લાવી શકે છે.

TTD પુજારીઓ, ખાસ કરીને વારસાગત પૂજારીઓ, તિરુમાલા મંદિરમાં દર્શન માટે ચોક્કસ સંખ્યામાં VIP પાસ મેળવવા માટે હકદાર છે.

દરેક પૂજારી સામાન્ય રીતે દર્શન માટે બે VIP પાસ મેળવી શકે છે. તેઓ તેમને પરિવારના સભ્યો અથવા મહેમાનોને મંદિરમાં આરામદાયક રીતે ઝડપી દર્શન માટે લાવવાની અનુમતિ હોય છે.

તિરુપતિ મંદિરમાં જે ચાર પરિવારો વારસાગત પૂજારી છે તેઓ પૈડીપલ્લી, ગોલ્લાપલ્લી, પેડિન્તી  અને તિરુપતમ્મા પરિવારોમાંથી આવે છે, જેઓ મંદિરના પ્રથમ પૂજારી ગોપીનાથચાર્યલુના વંશજ છે. તેઓ મંદિરની ધાર્મિક વિધિઓ પરના એક કોડ વૈખાનસ આગમના નિષ્ણાત હતા, ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા મંદિરોમાં પૂજાની બે પરંપરાઓમાંની એક વૈખાનસ આગમ છે.

આ પરિવારના લોકો અર્ચક, મિરાસી કુટુંબ અથવા વારસાગત પુરોહિત તરીકે ઓળખાય છે. આ પરિવારો તિરુમાલા મંદિર અને ગોવિંદરાજા સ્વામી મંદિર સાથે લગભગ 2,000 વર્ષથી જોડાયેલા છે.

આ પરિવારોના સભ્યો પરંપરાગત રીતે મંદિરની ધાર્મિક વિધિઓ અને રિવાજોના રખેવાળ તરીકે જોવામાં આવે છે. તેઓ દૈનિક ધાર્મિક વિધિઓ (નિત્ય કૈંકાર્યમ) અને વિશેષ સમારંભો કરે છે, જે મંદિરની પ્રથાઓનું સંચાલન કરતા આગમ શાસ્ત્રોનું પાલન સુનિશ્ચિત કરે છે.

મુખ્ય અર્ચક એટલે કે તિરુપતિ મંદિરના મુખ્ય પૂજારી A. વેણુગોપાલ દીક્ષિતુલુ છે, જે ગોલ્લાપલ્લી વારસાગત પરિવારના છે. તેઓ 2018માં મુખ્ય આર્ચક બન્યા હતા. અગાઉ, મંદિરના મુખ્ય પૂજારી ડૉ. A.V. રામન્ના દીક્ષાતુલુ હતા, જેઓ આ જ ગોલ્લાપલ્લી પરિવારના હતા, તેઓ મંદિરની ધાર્મિક વિધિઓમાં નિષ્ણાત હોવાનું કહેવાય છે. તેમણે માઇક્રોબાયોલોજીમાં ડોક્ટરલ ડિગ્રી મેળવી હતી. તેમણે તેમના પિતાના અવસાન પછી 1967માં પૂજારીનું પદ સંભાળ્યું હતું.

તે નિશ્ચિતપણે કહી શકાય નહીં, પરંતુ એવું માનવામાં આવે છે કે, તેઓ હંમેશા TTDની કુલ આવકમાંથી અમુક હિસ્સો મેળવે છે. એટલું જ નહીં, આ ચાર પરિવારોના લોકો TTDમાં પ્રભાવશાળી હોદ્દા પર પણ છે. તેમની સંપત્તિ કરોડોમાં હોવાનું માનવામાં આવે છે. આ લોકો ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે. બીજું, તેમનો પ્રભાવ અને ભભકો પણ ઘણો છે. CM સુધી તેમની સીધી પહોંચ હોય છે. તેઓ સમગ્ર દેશમાં ખ્યાતનામ અને પ્રભાવશાળી લોકો માટે ધાર્મિક વિધિઓ કરે છે.

Related Posts

Top News

ગોરધન ઝડફિયા એક પૂર્ણ સમર્પિત હિન્દુ સમાજસેવક

ગોરધન ઝડફિયા એક એવું નામ છે જે ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર ઊંડી છાપ ધરાવે છે. તેઓ એક સમર્પિત...
Politics 
ગોરધન ઝડફિયા એક પૂર્ણ સમર્પિત હિન્દુ સમાજસેવક

જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે

(Utkarsh Patel) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।   ફક્ત એક શ્લોક નથી, પરંતુ સંસારના સંચાલનનું મૂળભૂત સત્ય છે. નારી...
Lifestyle  Opinion 
જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે

આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

ગુજરાતના લોકોના મોંમા પાણી આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. દેશના એક રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ...
National 
આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

#gujarat #surat #Police #gujaratpolice #gujaratinews #livenews Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram...
Gujarat 
સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.