માવઠાનો કૃષિ સર્વે સરકારે કર્યો પૂરો પણ ખેડૂતોને આપ્યો ઝટકો

રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા માવઠાના કારણે ખેતીનો સર્વે કરાયો હતો. કયા પાકનું કેટલું નુકશાન થયું છે તે માટે સર્વે પૂર્ણ થયો છે જેમાં ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ખેતીના સર્વેમાં નુકશાની સામે આવી નથી જેથી ખેડૂતોને કોઈ વળતર સરકાર તરફથી આપવામાં નહીં આવે.

રવિ પાકને નુકશાની થઈ હોવાની સંભાવના હોવાથી કૃષિ વિભાગે જિલ્લાઓમાં આદેશ આદેશ આપ્યો હતો. અગાઉ 48 કલાક 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કૃષિ વિભાગે સર્વેની કામગિરી પૂર્ણ કરી લીધી છે પાકને નુકશાની ના પહોંચી હોવાનો રીપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

કૃષિ વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં નુકશાન અગાઉ શિયાળા દરમિયાન જે કમોસમી વરસાદ તાજેતરમાં પડ્યો હતો ત્યારે નુકશાની ભિતીને જોતા સર્વે કરાયો હતો જે સર્વે પૂર્ણ થતા તેમાં કેટલાક તારણો સામે આવ્યા છે. પાકને નુકશાની થઈ ના હોવાથી વળતર ચૂકવવામાં નહીં આવે. જેથી જે ખેડૂતોના પાકને જો નુકશાન થયું હશે તેમના માટે આ માઠા સમાચાર છે.

આ વખતે વિવિધ વિસ્તારોમાં કપાસ, જીરુ, એરંડા, ચણા, રાયડો સહીતના મુખ્ય પાકો લેવામાં આવ્યા છે જ્યાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પણ કેટલાક જિલ્લાઓમાં થયો હતો જ્યાં ક્યાંય નુકશાન પણ થયું હોઈ શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.