બિહારમાં ફ્લોર ટેસ્ટમાં નીતિશ કુમારની જીત, જાણો શું કહ્યું તેજસ્વીએ

On

આખરે બિહારમાં ફ્લોર ટેસ્ટ થઈ ગયો છે અને નીતિશ કુમારે વિશ્વાસ પ્રસ્તાવમાં જીત મેળવી લીધી છે. બિહાર વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થયું હતું, જેમાં 129 ધારાસભ્યોએ નીતિશ કુમારના પક્ષમાં મત આપ્યા હતા. આ દરમિયાન વિપક્ષના નેતાઓએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. નીતિશ કુમારે કહ્યું હતું કે, અમે વિકાસનું કામ, લોકોના હિતમાં કરતા રહીશું. 2021મા સાત નિશ્ચય શરૂ કર્યા, આજે કેટલો ફાયદો થયો છે. અમે આ બધુ ચાલુ રાખીશું. બિહારનું વિકાસ થશે. સમાજના દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખીશું. 2005થી બિહારમાં કામ કરવાનું શરૂ કર્યું.

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારના ડેપ્યુટી CM વિજય સિન્હાએ તેજસ્વી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ નોકરીની વાતો કરે છે. આ લોકોએ ખેતરો લખાવીને લોકોને નોકરીઓ આપી. તમારી સરકારમાં જંગલરાજ બનાવી દેવાયું હતું, પરંતુ NDA સરકારમાં અમે જંગલરાજ પર કાબૂ કરીને નાગરિકોને સુરક્ષિત જીવન આપ્યું.

તેજસ્વી યાદવે વિધાનસભામાં કહ્યું હતું કે, હવે તમારી સરકાર બની છે, તો અમે એ કહેવા માગીએ છીએ, તમારી સરકાર જૂની પેન્શન યોજના જરૂર લાગુ કરાવે. ક્રેડિટ અમે તમને આપીશું. કેન્દ્રની યોજનામાં કેટલો ઘટાડો થયો, તે યાદ આવે છે. કેબિનેટની મીટિંગમાં નીતિશ કુમાર ગુસ્સે થઈ જતા હતા.

તેજસ્વીએ બળવાખોર નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, સમય આવશે તો તેજસ્વી આવશે. ચેતન મારા નાના ભાઈ, તેના માટે તમે કંઈ ના કર્યું તો અમે ટિકિટ આપીને જીતાડવાનું કામ કર્યું. તેમના પિતા પર ચેતનના કામ પર આપી. બિહારને આગળ લઈ જવા માટે અમે યુવાનોને આગળ કરીએ છીએ. નીલમજીએ પાર્ટી બદલી અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.