ધોની માટે શિવમ દૂબેની પત્ની અંજૂમે લખી એવી પોસ્ટ કે MSના ફેન ખુશ થઈ જશે

On

IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીનું બેટ ગર્જના કરી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ જીતે કે હાર, માહીની વિસ્ફોટક બેટિંગ જોઈને ચાહકોને સંતોષ થઈ રહ્યો છે. જ્યારે ધોની બેટિંગ કરવા મેદાન પર આવે છે ત્યારે સ્ટેડિયમમાં અવાજનું સ્તર ઘણું વધી જાય છે. CSK સમર્થકો હોય કે અન્ય કેમ્પના, તેઓ બેટ વડે ધોનીની ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. ઈચ્છા તો ધોનીને મળવાની પણ રહેતી હોય છે. ફેન્સ માટે ધોનીને મળવું કોઈ સપનાથી ઓછું નથી. પરંતુ તેના જેટલા ચાહકો છે તે જોતા દરેકને મળવું શક્ય નથી. પરંતુ આ દિવસોમાં ચેન્નાઈના મિડલ ઓર્ડરને સંભાળી રહેલા વિશ્વાસુ શિવમ દુબેની પત્ની અંજૂમ ખાનનું આ સપનું પૂરું થયું છે. માહીને મળ્યા પછી તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.

20 એપ્રિલે અંજૂમ ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક તસવીર શેર કરી હતી. આમાં તેની સાથે શિવમ દુબે અને મહેન્દ્ર સિંહ ધોની પણ જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતા અંજૂમે લખ્યું, 'ધોની. મેં આ નામ એક ન્યૂઝ ચેનલ પર સાંભળ્યું હતું.., જ્યારે તેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે પહેલા મને ક્રિકેટ ગમતું હતું પણ તેને જોતા જ રહેવું એવું નહીં. હું તે ન્યૂઝ ચેનલ પર રોકાઈ ગઈ, કેમ ખબર નહીં, પણ મેં આખો ઈન્ટરવ્યુ જોયો. એ મુલાકાત સામાન્ય ન હતી. એક જોડાણ, એક લાગણી ઉમેરાઈ અને મેં ક્રિકેટને સંપૂર્ણ રીતે અનુસરવાનું શરૂ કર્યું. ત્યારપછી જ્યાં સુધી ધોની ભારતીય ટીમમાં હતો ત્યાં સુધી તે કોઈ મેચ ચુકી ન હતી. મારા માટે ધોની એટલે ક્રિકેટ અને ક્રિકેટ એટલે ધોની...સોરી. હું ધોની સાથે 'સર' જોડતી નથી. આ જ તો તેનું સન્માન છે કે, દરેક બાળક તેને માહી, ધોની કહે છે. CSKમાં આવ્યા પછી થાલા કહીને બોલાવે છે. ખરેખર તે એક લાગણી છે. હજુ પણ હું સંપૂર્ણપણે લાગણીશીલ છું.'

અંજૂમે આગળ લખ્યું, 'મને વિશ્વાસ નથી થતો કે, આજે હું ધોનીને મળી શકીશ... પરંતુ કદાચ તેને ક્યાંક એવી ગજબની લાગણી હતી કે, અલ્લાહે મારી ઈચ્છા પૂરી કરી છે અને તેણે શિવમને માધ્યમ બનાવ્યો છે. આભાર શિવમ. હું મેચમાં જેટલો ઘોંઘાટ શિવમ માટે કરું છું તેટલો જ માહી માટે કરું છું. કદાચ થોડો વધારે, કારણ કે તે જુદી લાગણી છે. અને શિવમ જાણે છે કે, તે મારા માટે શું છે. અત્યારે પણ જ્યારે પણ હું તેને સ્ક્રીન પર જોઉં છું ત્યારે હું ખૂબ જ અવાજ કરું છું. જેમ દરેક કરે છે. એવો ડર છે કે જે વ્યક્તિ બાળપણથી પસંદ કરતી હતી તે વાસ્તવિક જીવનમાં પણ કેવો હશે. ક્યાંય તે અલગ તો નહીં હોય, પરંતુ તેને મળ્યા પછી મને સમજાયું કે, ધોની કેટલો સારો વ્યક્તિ છે. મારું સપનું હતું કે શિવમ તેની ટીમમાં રમે, કારણ કે તેની પાસેથી ઘણું શીખી શકાય છે.'

 
 
 
View this post on Instagram

A post shared by Anjum Khan (@anjum1786)

શિવમ દુબે વર્ષ 2022થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ બન્યો. આ દરમિયાન તેણે શાનદાર બેટિંગ કરી છે. IPL 2022માં, શિવમે 11 મેચોમાં 156.22ના સ્ટ્રાઈક રેટથી કુલ 289 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2023માં તેણે 16 મેચોમાં 158.33ના સ્ટ્રાઈક રેટથી કુલ 418 રન બનાવ્યા હતા. આ સિઝનમાં શિવમ વધુ સારા ફોર્મમાં છે. અત્યાર સુધી તેણે 7 મેચમાં 157.05ના સ્ટ્રાઈક રેટથી કુલ 245 રન બનાવ્યા છે. જો ધોનીની વાત કરીએ તો તેને IPL 2024માં બેટિંગ કરવાની વધારે તક મળી નથી. પરંતુ જ્યારે પણ તેને તક મળી છે, ત્યારે તેણે અજાયબીઓ કરી છે. ધોનીએ આ સિઝનમાં 7 મેચમાં 87 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 255.88 રહ્યો છે. ધોનીએ DC સામે 16 બોલમાં 37 રન, મુંબઈ સામે 4 બોલમાં 20 રન અને LSG સામે 9 બોલમાં 28 રન બનાવ્યા છે.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati