- Sports
- ગાવસ્કરના મતે 'ભારતની B-C કોઈપણ ટીમ આ દેશને હરાવી દેશે', પણ ગિલેસ્પીને ન ગમ્યું તો બકવાસ કહ્યું
ગાવસ્કરના મતે 'ભારતની B-C કોઈપણ ટીમ આ દેશને હરાવી દેશે', પણ ગિલેસ્પીને ન ગમ્યું તો બકવાસ કહ્યું

ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન દેશ પાકિસ્તાનની સફર ટુર્નામેન્ટમાં થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ ગઈ. આ પછી, પાકિસ્તાન ટીમને તેના જ અનુભવી ખેલાડીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ICC ટુર્નામેન્ટના તમામ ફોર્મેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન નીચલા ક્રમનું રહ્યું છે. આમ છતાં, પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ જેસન ગિલેસ્પી માને છે કે, જો યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવે અને તેમને સપોર્ટ આપવામાં આવે તો તેઓ કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે.
આ દરમિયાન, જેસન ગિલેસ્પીએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચોમાં સ્પર્ધાના અભાવ અંગે દિગ્ગજ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી છે. દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમની હાર પછી ગાવસ્કરે તાજેતરમાં દાવો કર્યો હતો કે, બીજા કે ત્રીજા સ્તરની ભારતીય ટીમ પાકિસ્તાનની વર્તમાન વનડે ટીમ માટે ખતરો બની શકે છે.

પાકિસ્તાની પત્રકાર સાજ સાદિક દ્વારા શેર કરાયેલા વીડિયોમાં ગિલેસ્પીએ કહ્યું, હું આ નિવેદન સાથે સહમત નથી. મેં સુનીલ ગાવસ્કરની કેટલીક ટિપ્પણીઓ જોઈ, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય B ટીમ અથવા ભારતીય C ટીમ પાકિસ્તાન ટીમને હરાવશે. આ બકવાસ છે, સંપૂર્ણ રીતે બકવાસ. જો પાકિસ્તાન યોગ્ય ખેલાડીઓ પસંદ કરે અને તેમને ચમકવા, શીખવા અને તેમની રમત વિકસાવવા માટે સમય આપે, તો તેઓ કોઈપણને હરાવી શકે છે. મને આમાં કોઈ શંકા નથી.
ગિલેસ્પીએ કહ્યું- પાકિસ્તાની ખેલાડીઓ પ્રતિભાશાળી છે. તમારે ફક્ત યોગ્ય પ્રકારની પ્રતિભા પસંદ કરવાની છે. તમારે તેમને સપોર્ટ આપવો પડશે અને તેમની સાથે ધીરજ રાખવી પડશે. મારા મતે પાકિસ્તાન ક્રિકેટમાં ધીરજનો અભાવ છે.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે કહ્યું, જો PCB (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) બોર્ડ તરીકે બદલાવ લાવવા માંગે છે અને યોગ્ય પરિણામો મેળવવા માંગે છે, તો તેમને યોગ્ય લોકો અને યોગ્ય પસંદગી પેનલની જરૂર છે, અને ખેલાડીઓને તેમનું કામ કરવા માટે સમય આપવો પડશે. જો તમે નવા કોચની નિમણૂક કરી રહ્યા છો, તો તેને કંઈક અર્થપૂર્ણ કરવાની તક આપો, તેને સમય આપો, નહીં તો પરિણામો એ જ રહેશે.
ડિસેમ્બર 2024માં, જેસન ગિલેસ્પીએ રેડ-બોલ ફોર્મેટમાં પાકિસ્તાનના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું. 2024ની શરૂઆતમાં, USA અને વેસ્ટ ઈન્ડિઝમાં 2024માં રમાયેલા T20 વર્લ્ડ કપમાંથી વહેલા બહાર થયા પછી ગેરી કર્સ્ટનને વ્હાઇટ-બોલ કોચ તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, પાકિસ્તાનના વચગાળાના વ્હાઇટ-બોલ કોચ આકિબ જાવેદે કોચિંગ સ્ટાફ અને વહીવટમાં સાતત્યના અભાવને ટીમના તમામ ફોર્મેટમાં નબળા પ્રદર્શનનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું, અમે છેલ્લા અઢી વર્ષમાં 16 કોચ અને 26 પસંદગીકારો બદલી નાંખ્યા છે. જો તમે દુનિયાની કોઈપણ ટીમ સાથે આવું કરશો, તો તેમનું પ્રદર્શન પણ આવું જ રહેશે. જાવેદની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ગિલેસ્પીએ સોશિયલ મીડિયા પર કહ્યું, આ હાસ્યાસ્પદ છે. આકિબ સ્પષ્ટપણે પડદા પાછળ ગેરી અને મને નબળા પાડી રહ્યો હતો, બધા ફોર્મેટમાં કોચ બનવા માટે ઝુંબેશ ચલાવી રહ્યો હતો. તે એક જોકર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને નવો કોચ ન મળે ત્યાં સુધી જાવેદને વચગાળાના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેવાનું કહેવામાં આવ્યું હતું.
Related Posts
Top News
હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ એવું તે શું કહ્યું જેનાથી બિહાર BJPને સ્પષ્ટતા કરવી પડી?
કન્હૈયા કુમારનું નિવેદન બિહાર ચૂંટણીમાં કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે
‘પટૌડી પેલેસ ચોરી કરવા માગું છું...’, સૈફ અલી ખાનની પ્રોપર્ટી પર જયદીપ અહલાવતની નજર
Opinion
