બોલ એવી જગ્યાએ વાગ્યો છે કે... હિન્દી કોમેન્ટ્રી પર વિવાદ શરૂ થઈ? ફેન્સ કંટાળી ગયા, ભજ્જીએ...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચાલી રહેલી હિન્દી કોમેન્ટ્રી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, એક ચાહકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને હાલમાં કરવામાં આવી રહેલી હિન્દી કોમેન્ટ્રીની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. IPLના હિન્દી કોમેન્ટેટરોમાં હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ, નવજોત સિંહ સિદ્ધુ, શિખર ધવન, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ અને અન્ય દિગ્ગજોનો સમાવેશ થાય છે.

ચાહકે કહ્યું કે, પહેલા મનીન્દર સિંહ, અરુણ લાલ અને સુશીલ દોશી જેવા દિગ્ગજોની હિન્દી કોમેન્ટ્રી વધુ માહિતીપ્રદ હતી. જોકે, આજના વિવેચકો કાં તો કવિતા સંભળાવે છે અથવા જૂની વાર્તાઓ સંભળાવતા હોય છે.

IPL-Commentary2
businesstoday.in

એક ચાહકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, 'આપણા બધા ક્રિકેટ બ્રોડકાસ્ટર્સને, હું નમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને તમારી હિન્દી કોમેન્ટ્રીમાં સુધારો કરો. હિન્દી કોમેન્ટ્રીવાળી મેચો જોવાનું દિવસેને દિવસે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. પહેલા જ્યારે અમે બાળપણમાં હિન્દી કોમેન્ટ્રી સાંભળતા હતા, ત્યારે મનીન્દર સિંહ, અરુણ લાલ અને સુશીલ દોશી કોમેન્ટ્રી કરતા હતા, ત્યારે તે સમયે રમત વિશે ઘણું શીખવાનું મળતું હતું. ટેકનિકલ બાબતો વિશે ઘણી વાતો થતી હતી. જો ફિલ્ડરે ફાઈન લેગ, સ્ક્વેર લેગ અને ડીપ મિડ વિકેટ લીધી હોય, તો બોલર અહીં શોર્ટ બોલ ફેંકશે. આ પ્રકારની વાતો પહેલા થતી હતી.'

ચાહકે કહ્યું, 'હવે રમત વિશે શીખવા જેવું કંઈ નથી મળતું.' આજે, હિન્દી ભાષ્યમાં કાં તો શેર-શાયરીઓ હોય છે, અથવા જૂની વાર્તાઓ સંભળાવવામાં આવે છે. હાલમાં હું મારી માતા સાથે RCB vs KKR મેચ જોઈ રહ્યો હતો. મેચમાં એક કોમેન્ટેટરે કહ્યું, 'ગુરુ, બોલ એવી જગ્યાએ વાગ્યો છે જ્યાં હાડકું તૂટશે નહીં.' શું છે આ? ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ચાલી રહી છે.. ટોમ લેથમ બેટિંગ કરી રહ્યા છે અને રવિન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યા છે. કોમેન્ટ્રી એવી થઇ રહી છે કે, જો ન્યુઝીલેન્ડ પાસે ટોમ (લેથમ) છે, તો આપણી પાસે જેરી (જાડેજા) છે. જ્યારે પણ ટોમ ભાગતો હોય છે, ત્યારે જેરી તેને પકડી લે છે.'

IPL-Commentary1
hindustantimes.com

ચાહકે આગળ કહ્યું, 'આ બધું શું ચાલી રહ્યું છે દોસ્ત? હું કોઈ કોમેન્ટટરને નિશાન નથી બનાવી રહ્યો. તે બધા આપણા દિગ્ગજ છે, જેમણે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારું ક્રિકેટ રમ્યું છે. તો એટલા માટે હું આ લોકોને વિનંતી કરી રહ્યો છું, કારણ કે તમે લોકો અમારા કરતાં ક્રિકેટ વિશે વધુ જાણો છો. જો તમે અમને ક્રિકેટ નહીં શીખવો તો કોણ શીખવશે? એવું નથી કે તમે તે કરી શકતા નથી, પણ મને ખબર નથી, કાં તો તમને ચેનલ તરફથી આવી સૂચનાઓ મળી રહી છે અથવા તમારા ક્રિએટિવ ડિરેક્ટર તમને આમ કરવાનું કહી રહ્યા છે. જે કઈ પણ હોય, કદાચ ઘણા લોકોને તે ગમતું પણ હશે, પરંતુ તેમ છતાં હું તમને વિનંતી કરું છું કે, અમને કંઇક એવી વાતો પણ જણાવો, જેના દ્વારા અમે મેચના ટેકનિકલ પાસાઓ વિશે પણ જાણી શકીએ.'

IPL-Commentary3
IPL Commentary

આ ચાહકના વીડિયો પર પ્રતિક્રિયા આપતા હરભજન સિંહે કહ્યું, 'આપના પ્રતિભાવ બદલ આભાર... અમે તેના પર કામ કરીશું.' હિન્દી કોમેન્ટ્રી પેનલમાં મોહમ્મદ કૈફ, પીયૂષ ચાવલા, RP સિંહ, પ્રજ્ઞાન ઓઝા, સંજય માંજરેકર, સંજય બાંગર, વરુણ એરોન, સુનીલ ગાવસ્કર, અજય જાડેજા, જતીન સપ્રુ, અનંત ત્યાગી, સબા કરીમ, દીપ દાસગુપ્તા, આકાશ ચોપરાનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, IPL 2025 ની શરૂઆત શાનદાર રહી છે.

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.