કનેરિયા પર આફ્રિદીએ કહ્યું-તે દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપે છે જે ધાર્મિક ભાવના...

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા.

આ આરોપોને નકારી કાઢતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે સમયે તે ફક્ત ધર્મનો મતલબ સમજી રહ્યા હતા, જ્યારે કનેરિયા મારા નાના ભાઇ જેવો છે. આફ્રિદીએ કનેરિયાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ આરોપો ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે લગાવવામાં આવ્યા છે.

આફ્રિદીએ એક પાકિસ્તાની વેબસાઇટ દ્વારા કહ્યું કે, ‘જે વ્યક્તિ આ બધુ કહી રહ્યો છે, તેના પોતાના જ ચરિત્રને જૂઓ. કનેરિયા મારા નાના ભાઇ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું. જો મારી વર્તણૂંક ખરાબ હતી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે તે વિભાગમાં તેણે ફરિયાદ કેમ નહોતી કરી? તે આપણા દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓ ભડકાવી શકે છે.’

દાનિશ કનેરિયાએ દાવો કર્યો હતો કે આફ્રિદી નથી ઈચ્છતો કે તે પાકિસ્તાનની ટીમનો હિસ્સો બને અને તેમણે અભિમાનના કારણે ટીમના અન્ય ખેલાડીઓને પણ તેમના વિરૂદ્ધ ભડકાવ્યા હતા. હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તે મારાથી જલી રહ્યા હતા, પણ મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો.’

લેગ સ્પિનર દાનિશ કનેરિયા હમણા સુધી પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચોમાં 261 વિકેટ લીધી છે. કનેરિયાએ 8 વન-ડે મેચોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેના નામ પર 15 વિકેટનો ખિતાબ છે. વર્ષ 2009માં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્રો-લીગ મેચોમાં સ્પોટ ફિક્સિંગના આરોપામાં તેમને 2012માં ECB દ્વારા પ્રતિબંધિત કરાયા હતા.

Related Posts

Top News

ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા...
Opinion 
ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી

સાધુઓના એક પછી એક એવા નિવેદનો સામે આવે છે જેને કારણે વિવાદ ઉભો થાય છે. ઇસ્કોનના એક કથાકારે દીકરીઓ અને...
National 
ઇસ્કોનના કથાકારનો લવારો, દીકરીઓ વિશે હીન કક્ષાની વાત કરી

લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

અમદાવાદમા આરોગ્ય અધિક સચિવ અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત ડીનની 15 લાખ રૂપિયાની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી...
Governance 
લાખોમાં પગાર તેમ છતા આ લાંચિયાઓનું પેટ નથી ભરાતું, ગુજરાતનો સરકારી અધિકારી 15 લાખની લાંચમાં પકડાયો

સતત હાર પછી પણ કોંગ્રેસ કરી રહી છે મોટા પાયે ફેરફારો!, જાણો રાહુલ-ખડગેનો આગળનો પ્લાન

સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ જે સૌથી...
National 
સતત હાર પછી પણ કોંગ્રેસ કરી રહી છે મોટા પાયે ફેરફારો!, જાણો રાહુલ-ખડગેનો આગળનો પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.