CM ભૂપેન્દ્ર પટેલના દીકરાને રિલાયન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, જાણો કેવી છે તબિયત

On

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતના રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં 16 દિવસથી બ્રેઇન સ્ટોકને કારણે સારવાર લઇ રહેલા અનુજ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટર પણ હટાવી લેવામાં આવ્યા છે.જાણવા મળેલી માહિતી મુજબ હવે તેમને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.તબીબોનું કહેવું છે કે અનુજને સંપૂર્ણ રિકવરી આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. પરંતુ ગુજરાતના CM અને તેમના પરિવાર માથેથી અત્યારે તો ચિંતાના વાદળો દુર થયા છે અને બધાએ રાહતની શ્વાસ લીધી છે.

મુંબઇની હિંદુજા હોસ્પિટલે મંગળવારે બહાર પાડેલા હેલ્થ બુલેટીનમાં જણાવ્યું હતું કે ગુજરાતાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે અને તેઓ કોમામાંથી બહાર આવી ગયા છે. બધા વેન્ટીલેટર સપોર્ટ દુર કરી દેવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલના બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે અનુજની સંપૂર્ણ રિકવરીમાં હજુ થોડો સમય લાગી શકે છે. તેમને ટુંક સમયમાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેમને તાત્કાલિક અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુજનું અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના આરોગ્યમાં સુધારો ન આવતા એર એમ્બ્યુલન્સથી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર માટે ચિંતાનો વિષય એ હતો કે અનુજ કોમામાં હતા અને તેમને વેન્ટીલેટર પર ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. લગભગ 15 દિવસ સુધી અનુજ કોમામાં હોવાને કારણે પરિવારનો જીવ તાળિયે ચોંટેલો હતો. જો કે 16 મે ,મંગળવારે રાહતના સમાચાર આવ્યા કે અનુજ કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટરના બધા સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યા છે.

અનુજ પટેલને જે બ્રેઇન સ્ટોકનો હુમલો આવ્યો છે તેના કારણો વિશે તબીબોનું કહેવું છે કે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડનારી ધમનીને નુકશાન થાય છે ત્યારે બ્રેઇન સ્ટોક આવે છે. અથવા એમાં બ્લોકેજ થવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી આરોગ્ય એજન્સી CDCના કહેવા મુજબ ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજની જે કોશિકાઓ હોય છે તે ગણતરીની પળોમાં નાશ પામે છે અને એ રીતે બ્રેઇન સ્ટોક આવે છે.

Related Posts

Top News

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની...
Gujarat 
સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શનિવારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરનને કઠુઆ જિલ્લામાં જમીન ફાળવવાનો મુદ્દો ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ સરકારના...
National  Politics 
મુરલીધરનને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવાઈ, વિધાનસભામાં ઉઠ્યો સવાલ, જાણો મંત્રીએ શું આપ્યો જવાબ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati